ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ટેલિવિઝનની દુનિયામાં ખુબ જ લોકપ્રિય કોમેડી શો છે. છેલ્લા 12 વર્ષથી ટેલિવિઝન પર આવતો આ શો ઘર ઘરમાં વખણાય છે. ત્યારે આ શો સાથે 12 વર્ષથી સંકળાયેલા મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના ટીમ મેમ્બરનું નિધન
મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન
10 દિવસથી બિમાર હતાં આનંદ પરમાર
ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ટેલિવિઝનની દુનિયામાં ખુબ જ લોકપ્રિય કોમેડી શો છે. હંમેશા લોકોને હસાવતો આ શો ના કલાકારો આજે એકદમ સુનમુન થઈ ગયાં છે. જ્યારે સેટ પર ખબર મળી કે ટીમના મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. ત્યારે આખી ટીમ હેરાન થઈ ગઈ.
એક વેબસાઈટના આધારે આનંદ પરમાર છેલ્લા 10 દિવસથી બિમાર હતાં. શનિવારે 8 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું. ટીમ મેમ્બરો તેમને પ્રેમથી દાદા કહી બોલાવતાં હતાં.
આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટીમ સાથે સંકળાયેલા છે. તે શોના દરેક એક્ટરનો મેકઅપ કરે છે. શોની ટીમ તેમની સાથે ખુબ લાગણીથી જોડાયેલી હતી. જેથી તેમના નિધન ખબર મળતાં સૌ લોકો હેરાન છે. ત્યારબાદ આજે શુટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે.