તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જલ્દી જ 3100 એપિસોડ પૂરા થવાના છે.
તારક મહેતા...ઇતિહાસ રચશે
3000 એપિસોડ કર્યા પૂરા
જૂના કલાકારોએ છોડ્યો શો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. ગયા વર્ષે જ શોને 12 વર્ષ પુરા થયા અને સાથે 3000 એપિસોડ પણ પૂર્ણ કર્યા. ટેલિવીઝનની હિસ્ટ્રીમાં કોઇ શોએ આટલા એપિસોડ પૂરા કર્યા નથી. હાલમાં જ તે 3100 એપિસોડ પૂરા કરશે.
તારક મહેતા... ફેબ્રુઆરીમાં 3100 એપિસોડ પૂર્ણ કરશે. શો 13માં વર્ષમાં પ્રવેશ કરશે. આ શો એકમાત્ર એવો શો છે કે જેણે દરેક ઉંમરના લોકોનું મનોરંજન કર્યું છે અને કરી જ રહ્યું છે. આ શોની સફળતાનો શ્રેય ભારતીય સોસાયટીને પણ જાય છે અને તેમને પાત્રોના માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે. આ શોમાં રહેલી ગોકુલધામ સોસાયટી એટલી પ્રસિદ્ધ છે કે તેને મિની ઇન્ડિયા નામથી ઓળખવામાં આવે છે.
28 જુલાઇ 2008ના રોજ પહેલી વાર સબ ટીવી, સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. શોના નિર્માતા અસિત મોદી કહે છે કે, શોના પ્રશંસકો અને સમર્થકોને આટલો પ્રેમ આપવા માટે ધન્યવાદ કહું છું. 24 સપ્ટેમ્બર 2020ના રોજ 3000 એપિસોડ પૂરા કર્યા હતા.
દયા બેન શોમાંથી ગાયબ
છેલ્લા 3 વર્ષથી દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી શોમાંથી બહાર છે. દિશાના લગ્ન મુંબઇના બિઝનેસમેન મયુર પડીયા સાથે થયા હતા. જ્યારે તેમની પ્રેગનેન્સીની ખબર આવી ત્યારે તેમણે મેટરનીટિ લીવ લીધી હતી અને ત્યારથી તે શોમાંથી બહાર છે. તેમની દીકરીનું નામ સ્તુતિ છે. હાલમાં જ ચાલી રહેલી ચર્ચાઓમાં ક્યાસ લગાવવામાં આવે છે કે દયા બેન શોમાં પરત ફરશે પરંતુ તેના પરત ફરવાના કોઇ એંધાણ નથી.
અંજલિ અને સોઢી બદલાયા
શો શરૂ થયો ત્યાર બાદ અત્યાર સુધીની કાસ્ટમાં ઘણા ફેરફાર આવ્યા છે પણ છેલ્લે છેલ્લે સોઢી અને અંજલિનું પાત્ર ભજવતા ગુરુચરણ સિંહ અને નેહા મહેતાએ શોને અલવિદા કહી દીધુ હતુ. નેહાની જગ્યાએ સુનયના ફોજદાર આવી છે.