ટેલિવિઝનવા સૌથી પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોના દિલ પર રાજ કરે છે. શોમાં નટ્ટૂ કાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયકની હાલમાં જ સર્જરી કરવામાં આવી છે. જેના કારણે તેઓ શોમાં જોવા નથી મળી રહ્યાં, પરંતુ નટ્ટૂ કાકાના ફેન્સ માટે એક સારાં સમાચાર છે. નટ્ટૂ કાકા ટૂંક સમયમાં શોમાં ફરી જોવા મળશે. ફેન્સ નહીં પણ તારક મહેતાની આખી ટીમ તેઓ સ્વસ્થ થઈને શોમાં પાછાં આવે તેની રાહ જોઈ રહ્યાં છે.
તારક મહેતામાં નટ્ટૂ કાકાની થશે વાપસી
સર્જરી બાદ હવે ફરી દર્શકોનું મનોરંજ કરશે નટ્ટૂ કાકા
ત્યારે આ શખ્સના નટ્ટૂ કાકાએ કર્યા ખૂબ વખાણ
નટ્ટૂ કાકા એટલે કે ઘનશ્યામ નાયકે હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલની સાથે વાત કરી અને કહ્યું કે મારા ઓપરેશનમાં 8 ગાંઠ કાઢવામાં આવી અને મને ખબર જ નહોતી કે આ ગાંઠ કઈ રીતે બની. આ તમામ ગાંઠને આગળ તપાસ માટે મોકલી દેવામાં આવી છે. મને ભગવાન પર ભરોસો છે, એ જે કરશે સારું જ કરશે.
શોમાં પરત ફરવાના સવાલ પર તેમણે કહ્યું કે, ટીમ કહે છે કે, તેઓ સેટ પર મારી રાહ જોઈ રહ્યાં છે, પણ મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ એક મહિનો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જેથી નવરાત્રિ પહેલાં હું શૂટિંગ પર નહીં જઈ શકું.
આ વાતચીતમાં તેમણે ખુલાસો કર્યો કે, તેમને પહેલાં અન્ય પાત્ર માટે સાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ ગડા ઈલેક્ટ્રોનિક્સમાં વૃદ્ધ માટેનો રોલની વાત આવી તો એક સારાં કલાકારની શોધ ચાલી રહી હતી, એવામાં દિલીપ જોશી એટલે કે જેઠાલાલે શોના પ્રોડ્યૂસર અસિત મોદીને મારું નામ દીધું હતું.
તેમણે દિલીપ જોશીના વખાણ કરતા કહ્યું કે, મને તેમના કારણે આ પાત્ર મળ્યું. પછી નટ્ટૂ કાકાની એન્ટ્રી થઈ. જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. ઘનશ્યામ નાયકે તેમના 60 વર્ષના કરિયરમાં અનેક હિન્દી, ગુજરાતી ફિલ્મો સહિત ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે.