બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / TMKOCમાં જૂના સોઢીનું થશે કમબેક? પ્રોડ્યુસર આસિત મોદી સાથે મુલાકાત કરતા શરૂ થઈ ચર્ચા
Last Updated: 04:40 PM, 17 July 2024
તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી શોના પ્રખ્યાત એક્ટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ચાલુ વર્ષે 22 એપ્રિલના રોડ ગુરુચરણસિંહ સોઢી દિલ્હીમાંથી લાપતા થઈ ગયા હતા. જેના એક મહિના બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. જોકે થોડા દિવસ પહેલા એરપોર્ટ પર ગુરુચરણસિંહને ટીવી શો બાબતે પૂછતાં તેમણે જણાવ્યુ હતુ કે ભગવાન જાણે, રબ જાણે, મને કંઈ ખ્યાલ નથી. જેવી મને ખબર પડશે, આપને જણાવી દઇશ.
ADVERTISEMENT
ADVERTISEMENT
તાજેતરમાં જ ગુરુચરણ સિંહએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પ્રોડ્યુસર અસિત મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અસિત મોદીએ જણાવ્યુ હતુ કે ગુરુચરણ સિંહ મારા પરિવારનો સભ્ય છે. અમે છેલ્લા ઘણા વર્ષોથી સાથે છીએ. આપને જણાવી દઇએ કે ગુરુચરણસિંહે અંગત કારણોસર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો છોડ્યો હતો. જોકે તાજેતરમાં થયેલ આ મુલાકાતના ફોટાને લઇ ટીવી શોમાં વાપસીની વાતોએ જોર પકડ્યુ છે.
એક્ટર ગુરુચરણ સિંહ સોઢી 22 એપ્રિલથી લાપતા થઈ ગયા હતા. જે બાદ આશરે એક મહિના પછી તેઓ તેમના ઘરે પરત ફર્યા હતા. ગુરુચરણ સિંહ 22 એપ્રિલના રોડ દિલ્હી થી મુંબઈ જવા રવાના થયા હતા. પરંતુ તેમણે ફ્લાઇટ લીધી ન હતી. ત્યારે આ દરમિયાન ગુરુચરણસિંહ સાથે સંપર્ક ન થઇ શકતા તેમના પિતાએ પોલીસમાં મિસિંગ ફરિયાદ નોંધાવી હતી.
વધુ વાંચો : ભોજપુરી સેન્સેશન નમ્રતા મલ્લાના બિકિનીમાં બોલ્ડ પોઝ, જુઓ હોટનેસથી ભરપૂર ફોટો
સમગ્ર ઘટના બાબતે સાઉથ વેસ્ટ દિલ્હીના ડીસીપી રોહિત મીના એ જણાવ્યુ હતુ કે ગુરુચરણસિંહ છેલ્લા ઘણા સમયથી પરેશાનીઓથી ઘેરાયેલા હતા. જેને લઇ તેઓ કોઈને જણાવ્યા વગર ધાર્મિક યાત્રા પર જતા રહ્યા હતા. ઘરે પરત આવ્યા બાદ ગુરુચરણસિંહએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યુ હતુ કે તે અમૃતસર અને લુધિયાણાના ગુરુદ્વારામાં રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.