બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / TMKOCમાં જૂના સોઢીનું થશે કમબેક? પ્રોડ્યુસર આસિત મોદી સાથે મુલાકાત કરતા શરૂ થઈ ચર્ચા

મનોરંજન / TMKOCમાં જૂના સોઢીનું થશે કમબેક? પ્રોડ્યુસર આસિત મોદી સાથે મુલાકાત કરતા શરૂ થઈ ચર્ચા

Last Updated: 04:40 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્માના ફેમસ એક્ટર રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ સોઢીએ તાજેતરમાં પ્રોડ્યુસર અસિત મોદી સાથે TMKOC સેટ મુલાકાત કરી હતી. તેમની મુલાકાતના ફોટા ગુરુચરણ સિંહ સોઢીએ સોશિયલ મીડિયા પર મુકતા રોશન સોઢીની વાપસીની વાતો યુઝર્સમાં ચર્ચાઇ હતી.

તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી શોના પ્રખ્યાત એક્ટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ચાલુ વર્ષે 22 એપ્રિલના રોડ ગુરુચરણસિંહ સોઢી દિલ્હીમાંથી લાપતા થઈ ગયા હતા. જેના એક મહિના બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. જોકે થોડા દિવસ પહેલા એરપોર્ટ પર ગુરુચરણસિંહને ટીવી શો બાબતે પૂછતાં તેમણે જણાવ્યુ હતુ કે ભગવાન જાણે, રબ જાણે, મને કંઈ ખ્યાલ નથી. જેવી મને ખબર પડશે, આપને જણાવી દઇશ.

શું ખરેખર રોશન સિંહ સોઢીના અવતારમાં જોવા મળશે ગુરુચરણસિંહ?

તાજેતરમાં જ ગુરુચરણ સિંહએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પ્રોડ્યુસર અસિત મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અસિત મોદીએ જણાવ્યુ હતુ કે ગુરુચરણ સિંહ મારા પરિવારનો સભ્ય છે. અમે છેલ્લા ઘણા વર્ષોથી સાથે છીએ.  આપને જણાવી દઇએ કે ગુરુચરણસિંહે અંગત કારણોસર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો છોડ્યો હતો. જોકે તાજેતરમાં થયેલ આ મુલાકાતના ફોટાને લઇ ટીવી શોમાં વાપસીની વાતોએ જોર પકડ્યુ છે.

મહિના સુધી ઘરે ન આવતા પિતા એ કરી હતી પોલીસમાં ફરિયાદ

એક્ટર ગુરુચરણ સિંહ સોઢી 22 એપ્રિલથી લાપતા થઈ ગયા હતા. જે બાદ આશરે એક મહિના પછી તેઓ તેમના ઘરે પરત ફર્યા હતા. ગુરુચરણ સિંહ 22 એપ્રિલના રોડ દિલ્હી થી મુંબઈ જવા રવાના થયા હતા. પરંતુ તેમણે ફ્લાઇટ લીધી ન હતી. ત્યારે આ દરમિયાન ગુરુચરણસિંહ સાથે સંપર્ક ન થઇ શકતા તેમના પિતાએ પોલીસમાં મિસિંગ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો : ભોજપુરી સેન્સેશન નમ્રતા મલ્લાના બિકિનીમાં બોલ્ડ પોઝ, જુઓ હોટનેસથી ભરપૂર ફોટો

મહિના પછી ઘરે પરત ફર્યા હતા

સમગ્ર ઘટના બાબતે સાઉથ વેસ્ટ દિલ્હીના ડીસીપી રોહિત મીના એ જણાવ્યુ હતુ કે ગુરુચરણસિંહ છેલ્લા ઘણા સમયથી પરેશાનીઓથી ઘેરાયેલા હતા. જેને લઇ તેઓ કોઈને જણાવ્યા વગર ધાર્મિક યાત્રા પર જતા રહ્યા હતા. ઘરે પરત આવ્યા બાદ ગુરુચરણસિંહએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યુ હતુ કે તે અમૃતસર અને લુધિયાણાના ગુરુદ્વારામાં રહ્યા હતા.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ashitkumar modi roshansinh sodhi TMKOC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ