સબ ટીવીના પૉપ્યુલર શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડૉ. હાથીનું કેરેક્ટર પ્લે કરનારા કવિ કુમાર આઝાદની અચાનકથી થયેલા નિધનથી શૉના મેકર્સ શૉના એક્ટર્સ અને ઓડિયન્સ શોકમાં ગરકાવ થઇ ગયા છે. 'તારક મહેતા...'ના આ પૉપ્યુલર કેરેક્ટરને રિપ્લેસ કરવા અંગે શોના મેકર્સ વિચારી રહ્યા છે અને તેના માટેની શોધ પણ શરૂ કરી દીધી છે. માનવામાં આવી રહ્યુ છે કે કવિ કુમાર આઝાદ પહેલા ડૉ. હાથીનું કેરેક્ટર પ્લે કરનાર એક્ટર તેમની જગ્યા લઇ શકે છે.
એક રિપોર્ટ અનુસાર શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ ડો.હાથીના કેરેક્ટરને શોમાં ચાલુ રાખવા માંગે છે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે ડો. હાથી આ શોમાં પોપ્યુલર કેરેક્ટર હતાં. કવિ કુમાર જેવો કલાકાર શોધવો મુશ્કેલ છે. આ જ કારણોસર અસિત મોદી પણ ડો.હાથીનો રોલ કરી શકે તેવા એક્ટરની શોધમાં છે. તેમણે કહ્યું કે જેવો જ ડો.હાથીના રોલ માટે નવો ચહેરો મળી જશે કે તેઓ તરત તેની જાહેરાત કરશે. જોકે શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ડો.હાથીના કેરેક્ટર માટે એક્ટર મળી ગયો છે.
સૂત્રોનુસાર મેકર્સ ટીમના પૂર્વ મેમ્બરને જ ટીમમાં ફરી શામેલ કરવાનો વિચાર કરી રહ્યા છે. એક્ટર નિર્મલ સોની જ્યારે શો શરૂ થયો ત્યારે ડૉ.હાથીના રોલમાં હતા જોકે 2009માં કવિ કુમાર આઝાદે તેમણે રિપ્લેસ કર્યા હતા.નિર્મલ સોની ‘તેરા મેરા સાથ રહે’ અને ‘હોસ્ટેલ’ જેવી ફિલ્મ્સમાં પણ જોવા મળ્યો હતો.
9 જુલાઈના રોજ કાર્ડિયાક અરેસ્ટના કારણે કવિ કુમાર આઝાદનું નિધન થઈ ગયું હતું જે પછી શોના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યુ કે ''એક્ટરની પૉપ્યુલારિટીને ધ્યાનમાં રાખીને ડૉ. હાથીને રિપ્લેસ કરવામાં આવશે એક્ટરનું નિધન થાય છે કે કેરેક્ટરનું નહી. કવિ કુમાર એવા એક્ટર્સમાંથી હતાં. જેમને તેનું કામ ખૂબ જ પસંદ હતું. તબીયત ખરાબ હોય તો પણ તેઓ શૂટિંગમાં આવતાં હતાં.''