ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથી એટલે કે કવિ કુમાર આઝાદના નિધનથી આ શો ના પ્રશંસકોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. માત્ર પ્રશંસકો નહીં પરંતુ આખી ટીવી ઇન્ડસ્ટ્રી આ સમાચારથી શોકમાં છે. કવિ કુમાર આઝાદના નિધનનું કારણ હાર્ટ એટેક કહેવામાં આવ્યું છે. જો કે કવિ કુમાર આઝાદના એક પડોશીએ જણાવ્યું કે આઝાદ નિયમિત દારૂ પીતા હતા અને મર્યાના એક દિવસ પહેલા પણ એમને મિત્રો સાથે દારૂ પીધું હતું.
રિપોર્ટ્સનું માનીએ તો કવિ કુમારને અચાનક સોમવારે છાતીમાં દુખાવો થતો હતો ત્યારબાદ એમને તરત મુંબઇની વોકઆઉટ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. એ સમયે તેઓ બેભાન હતા. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટોએ એમને મૃત જાહેર કરી દીધા.
તો શું ખરેખર તાક મહેતાના હંસરાજ હાથીનું મોત નિયમિત દારૂ પીવાથી થયું? જો કે એવું સ્પષ્ટપણે કહી શકાતું નથી.
જો કે આ અભિનેતાનું વજન 254 કિલો હતું જેના કારણે એમને ચાલવામાં ખઊબ જ સમસ્યા રહેતી હતી. ઓક્ટોબર 2010માં એમને બરિયાટ્રિક સર્જરી દ્વારા પોતાનું 80 કિલો વજન ઘટાડ્યું હતું. પોતાના શરીરમાં આવેલા આ ફેરફારથી કવિ કુમાર ખૂબ જ ખુશ હતા.
વધારે પડતા દારૂના સેવનથી દિલની માસપેશિઓ નબળી પડવા લાગી હતી જેનાથી હાર્ટ સુઘી પહોંચાડનાર લોહી સાચી ગતિથિ ત્યાં સુધી પહોંચી શકતું નહતું.