તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝનનું સૌથી લોકપ્રિય સીરિયલ છે. નાના મોટા સૌને આ શોના દરેક કલાકાર પસંદ છે. જોકે, લોકડાઉનને કારણે અન્ય સીરિયલ્સ અને ફિલ્મની જેમ તારક મહેતાની પણ શૂટિંગ બંધ થઈ ગઈ હતી, પરંતુ હવે સરકારની શરતી મંજૂરી સાથે શોનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવી શકે છે. સરકારની ગાઈડલાઈનમાં સેટ પર બાળકો અને વડીલોને આવવાની મંજૂરી મળી નથી. સરકારના આ નિર્ણયને કારણે તારક મહેતાના નટ્ટૂ કાકા એટલે કે ઘનશ્યામ નાયકે એક ઈન્ટરવ્યૂમાં પોતાની વ્યથા જણાવી.
તારક મહેતાના દરેક કલાકારો ખૂબ જ લોકપ્રિય છે
ત્યારે શોના નટ્ટૂ કાકા સરકારના નિયમથી દુઃખી છે
નટ્ટૂ કાકાએ કહ્યું- હું શૂટિંગ નહીં કરું તો મરી જઈશ
ઘનશ્યામ નાયકે ઈન્ટરવ્યૂમાં શૂટિંગ શરૂ કરવા અંગે કહ્યું- હું શો સાથે ફરી જોડાઈશ, કારણ કે હું સ્વસ્થ છું અને સક્ષમ છું. નિર્માતાઓ દ્વારા હાલ મને કંઈ જ જણાવવામાં આવ્યું નથી. જેથી હું હમેશાં આ શોનો ભાગ રહીશ. એવા સમાચાર ફેલાયા છે કે, સરકારના નિયમોને કારણે હું શોમાં શૂટિંગ નહીં કરી શકું તો મારા ચાહકો અને શુભચિંતકો તરફથી મને ઘણાં મેસેજ મળી રહ્યાં છે કે, તમારા વિના શો અધૂરો લાગશે. નટ્ટૂ કાકા તો તારક મહેતામાં હોવા જ જોઈએ. આગળ નટ્ટૂ કાકાએ કહ્યું-હાં હું કામ કરવા માટે તૈયાર છું, કારણ કે જો હું એક્ટિંગ નહીં કરું તો હું મરી જઈશ.
નટ્ટૂ કાકા એટલે ઘનશ્યામ નાયકે આગળ કહ્યું- એક કલાકાર તરીકે હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માંગુ છું. ભગવાનની કૃપાથી હું આવું કરવા માટે સક્ષમ પુણ છું અને મારી આસપાસ એક મોટો પરિવાર હોવાથી ખુશ છું. પરંતુ શૂટિંગ ન કરવાની વાતથી હું દુઃખી થઈ જાઉં છું. 75 વર્ષની ઉંમરમાં પણ હું કામ કરવા માટે એકદમ સ્વસ્થ છું. નિર્માતા મને જ્યારે પણ શૂટિંગ માટે બોલાવશે ત્યારે હું સેટ પર હાજર થઈ જઈશ.