બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા

દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા

Last Updated: 06:30 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનગઢથી લગભગ 14 કિલોમીટરના અંતરે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલુ ગૌમુખ મહાદેવ મંદિર લોકોમાં આસ્થાના પ્રતીક સમાન છે. મંદિરે બારેમાસ ગાયના મુખમાંથી જલધારા વહે છે.

દક્ષિણ ગુજરાતના તાપી જીલ્લાની પૂર્વ દિશામાં મહાદેવજીનું અતિ પૌરાણિક દેવાલય ગૌમુખ મહાદેવ મંદિર આવેલુ છે. સોનગઢથી લગભગ 14 કિલોમીટરના અંતરે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલુ ગૌમુખ મહાદેવ મંદિર લોકોમાં આસ્થાના પ્રતીક સમાન છે. મંદિરે બારેમાસ ગાયના મુખમાંથી જલધારા વહે છે. જલધારા દસ-પંદર ફૂટ નીચે ગયા બાદ તેનુ પાણી ક્યાં જાય છે તેની આજદિન સુધી કોઈને ખબર નથી. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર પાંચ પહાડોની વચ્ચે જ્યાં કુદરતે અઢળક સૌંદર્ય વેર્યું છે ત્યાં પવિત્ર અને પૌરાણિક શિવાલય ગૌમુખ મહદેવજીનું મંદિર ભક્તજનોમાં આસ્થાનુ પ્રતીક બનવા પામ્યુ છે. ગુરુ દ્રોણાચાર્યએ આ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા છે સાથે ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણ ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે.

d 5

તાપી જીલ્લાની પૂર્વમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય

મંદિરના ગર્ભગૃહના નીચેના ભાગમાં અવિરત જલધારા ચાલુ છે. બારે માસ ગાયના મુખમાંથી જલધારા વહેતી રહે છે. જલધારા લગભગ દસ-પંદર ફુટ નીચે ગયા બાદ તેનુ પાણી કયાં જાય છે તેની આજ સુધી કોઈને પણ ખબર નથી. બાજુમાં નાના કોતરમાં પણ જલધારાનું પાણી મળતું નથી અને જલધારા અવિરતપણે ચાલુ જ રહે છે જેને પગલે મંદિર ભકતજનોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ડુંગર વિસ્તારમાં બિરાજમાન ગૌમુખ મહાદેવના દર્શને દૂરદૂરથી ભાવિકો આવે છે અને મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. ગાઢ જંગલની વચ્ચે બિરાજતા ગૌમુખ મહાદેવનુ મંદિર તાપી જિલ્લાના અતિ પૌરાણિક મંદિરોમાનું એક છે. મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો મંદિરે જે પણ માનતા માને છે તે ભક્તજનોની માનતા ગૌમુખ મહાદેવ અચૂક પૂર્ણ કરે છે. ગાઢ જંગલોની વચ્ચે બિરાજમાન મહાદેવજીના દર્શન કરી દર્શનાર્થીઓ અલૌકિક શાંતિનો અનુભવ કરે છે.....

d 1

આ પણ વાંચો: સણસોલી ગામે સ્વયંભૂ પ્રગટ હનુમાનજીનું મંદિર, દાદા 5000 વર્ષથી બિરાજમાન હોવાની લોકવાયકા

d 2

આજે પણ મંદિરના મુખ્ય દ્વાર પાસે છે શિવલિંગ

તાપી જીલ્લાના ગાઢ જંગલોની વચ્ચે અનેક પ્રવાસન ધામો આવેલા છે, તે પૈકીના સોનગઢ નજીકના દૌન ગામે આવેલા ગૌમુખ મહાદેવના મંદિર આસપાસના જંગલ વિસ્તારનુ સૌંદર્ય ચકિત કરી દે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. ગાયના મુખમાંથી બારે માસ અવિરત વહેતી જલધારાના અને મહાદેવજીના દર્શન કરવા ભાવિકો અવારનવાર મંદિરે આવે છે અને ગાઢ જંગલનુ કુદરતી સાનિધ્ય માણે છે. લોકવાયકા મુજબ આ સ્થળ પર વડના ઝાડની નીચે મુખ્ય શિવલિંગ આવેલુ છે અને તેને મુગલ શાસન વખતે ખંડિત કરી દેવામાં આવ્યું હતું જે શિવલિંગ આજે પણ મંદિરના મુખ્ય દ્વાર પાસે છે શિવલિંગ ખંડિત થયા બાદ સંતો દ્વારા નવા શિવલિંગની સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી. ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ તાપી પુરાણમાં કરવામાં આવ્યો છે કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવી છે. વર્ષોથી બિરાજમાન મહાદેવના દર્શન કરવા લોકો દુરદુરથી ઉમટી પડે છે. દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જીલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જીલ્લો છે. અહી શિવ મંદિર સહીત અનેક દેવાલયો તેમજ ફરવા લાયક સ્થળો આવેલા છે. ઋષિમુનિઓ દ્વારા આ પ્રાચીન ગૌમુખ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહીત મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે સાચા મન અને સાચી શ્રદ્ધાથી માંગવામાં આવેલી માનતા ભોળાનાથ અચૂક પૂર્ણ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tapi Gaumukh Mahadev Temple Songadh Gaumukh Mahadev Gaumukh Mahadev Temple
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ