મુંબઇ: બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા જાણીતા અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવીને ચર્ચામાં આવી ગઇ. એક તરફ નાના પાટેકરએ આ ઓરપોને ખોટા જણાવ્યા ત્યારે સેલિબ્રિટીના એક જૂથ હતું જે તનુશ્રીની સાથે હતું. ટ્વિંકલ ખન્ના ઋચા ચડ્ડા સ્વરા ભાસ્કર ફરહાન અખ્તર જેવા ઘણા નામોનું લાંબુ લિસ્ટ છે જેમને આ મામલાને ગંભીરતાથી લીધો. પરંતુ રાખી સાવંત આ મામલામાં તનુશ્રી ઉપર આંગળી ઊઠાવવા મામલે ચર્ચામાં રહી છે.
પોતાની પર કરવામાં આવેલી ટિપ્પણી અને રાખી સાવંતના નિવેદનોથી નારાજ તનુશ્રીએ રાખી પર માનહાનિ કેસ દાખલ કર્યો છે. એની સાથે જ 10 કરોડ રૂપિયાની પણ માંગણી કરી છે. જણાવી દઇએ કે રાખીએ કહ્યું હતું કે તનુશ્રી ડ્રગ્સ લઇને પોતાની વેનમાં પડી હતી અને નાનાએ કહ્યું એટલે એ ગીત મારે કરવું પડ્યું.
રાખી સાવંતનો એ ઇન્ટરવ્યુ ખૂબ વાયરલ થયો હતો. એમાં રાખીએ કહ્યું 'તનુંએ ફિલ્મના ગીતને શૂટ કર્યું હતું પરંતુ એને વચ્ચથી છોડી દીધું હતું. ત્યારબાદ મારી પાસે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનો ફોન આવ્યો એમને બસ એટલું કહ્યું તુ સેટ પર જા ગીત કરવાનું છે. '
રાખીએ જણાવ્યું કે એ સેટ પર પહોંચી અને જાણવા મળ્યું કે એ ગીત તનુશ્રીનું હતું. તનું થોડુંક શૂટિંગ કરી ચુકી છે. પરંતુ હવે કોઓપરેટ કરી રહી નથી.