સાવર કુંડલા હાથસણી રોડ પર રહેતા એક તાંત્રિકે પોતાની શિષ્યાને જ પુત્ર પ્રાપ્તિ ની વિધિ કરવાના બહાને બોલાવી બળાત્કાર ગુજર્યો...જોકે પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ ગુરુ ને દબોચી લીધો શું છે હકીકત જોઈએ આ રિપોર્ટમાં
ગુરુ શિષ્યના સંબંધને કલંક લગાડતી આ ઘટના
અંધશ્રદ્ધાની આ ઘટનાથી મહિલાઓએ પણ કંઈક શિખ લેવા જેવી
સાવરકુંડલા માં આવેલ હાથસણી રોડ પર આવેલા મેઘ માયા નગરમાં રહેતા કેશવદાસ નાનકદાસ પરમાર નામના તાંત્રિકે પોતાના જ પડોશમાં રહેતા અને જેને આખો પરિવાર ગુરુ તરીકે માને છે સમજે છે તેજ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી. જેની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લખાવી અને એ ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ આ લંપટ ગુરુને પોલીસે દબોચી લીધો અને પૂછપરછ હાથ ધરી હતી.
ફરિયાદી મહિલા આ લંપટ ગુરુના મકાનની સામે જ રહેતી હોય અને આ મહિલાને સંતાનમાં બે દીકરી જ હોય અને પુત્રની પ્રાપ્તિની ઘેલછામાં આ મહિલા લંપટ તાંત્રિક ગુરુની અંધશ્રદ્ધામાં ભોળવાઈ ગઈ અને તેમની વાતમાં આવી ગઈ ત્યારે લંપટ ગુરુએ વિધિ કરવાના બહાને આ ભોગ બનનાર મહિલાના શરીર સાથે ચિત્ર-વિચિત્ર અડપલા કરી બે વખત શારીરિક સંબંધ બાંધી બળજબરીપૂર્વક હવસનો શિકાર બનાવી અને જો કોઈને કહીશ તો તારી બન્ને દીકરીઓને મારી નાખીશ તેવી ધમકી પણ આપી જોકે આખરે આ ભોગ બનનાર મહિલાએ પોલીસનો આશરો લઈ આ તમામ હકીકત જણાવી અને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી.
અંધશ્રદ્ધાની આ ઘટનાથી મહિલાઓએ પણ કંઈક શિખ લેવા જેવી
પોલીસ જાપ્તામાં ઊભેલો અને હાથ જોડીને વિનંતી કરી રહેલો લંપટ કેશવદાસ હવે ઘણો પસ્તાઈ રહ્યો છે. પરંતુ જબ ` ચીડિયન ખેતી ચુગડારી ફિર પસ્તાએ કયા હોવત હે ' એમ હવે પસ્તાવાનો કોઈ અર્થ નથી. હાલ તો આ લંપટ કહેવાતો તાંત્રિક કેશવદાસ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે અને સમગ્ર ઘટનાની તપાસ સાવરકુંડલા પી.આઈ ચલાવી રહ્યા છે.ગુરુ શિષ્યના સંબંધને કલંક લગાડતી આ ઘટનાથી આ લંપટ તાંત્રિક પ્રત્યે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને અંધશ્રદ્ધાની આ ઘટનાથી મહિલાઓએ પણ કંઈક શિખામણ લેવી જોઈએ.