સંભવિત વાયુ વાવાઝોડુ ત્રાટકે તેવી આગાહી બાદ પોરબંદર વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. પોરબંદર જિલ્લા કલેક્ટરની સૂચના શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ નામનું વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે પોરબંદર નગર પાલિકા દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવમાં આવી છે.
આ સાથે સાથ ફાયર વિભાગની ટમ અને ચાર જેટલી બોટ સાથેની ટીમ પમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સોમવારની રાત્રિથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારની સવારથી જ રીક્ષામાં અનાઉન્સ કરીને લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. તેમજ શહેરમાંથી મોટા હોર્ડીંગ્સ ઉતારવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.
આ ઉપરાંત વૃક્ષોને પણ ટ્રીમ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથો સાથ પોરબંદર જિલ્લાના દરિયા કિનારા નજીકના ગામોને પણ અલર્ટ કરી ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેથી વાવાઝોડા સમયે લોકોને કયા પ્રકારની તકેદારી રાખવી તેની પણ જાણકારી આપવામાં આવી રહી છે.