મુંબઇ: બોલીવુડમાં હાલ નાના પાટેકર વિરુદ્ધ તનુશ્રી દત્તાના આરોપોને લઇને વિવાદ સતત ચાલુ છે. આ બાબતે કેટલાક લોકોએ જવાબ આપવામાં પોતાને દૂર રાખ્યા તો કેટલાકે ખુલીને પોતાની વાત કરી છે.
જ્યારે આ મામલે મીડિયા સાથે નાના પાટેકરે વાતચીત કરી હતી. નાના પાટેકરે જણાવ્યું હતું કે "10 વર્ષ પહેલાં જે સત્ય હતુ તે જ સત્ય આજે છે. મારે જે કહેવું હતુ તે મે કહી દીધું છે".
આ ઉપરાંત નાના પાટેકરે જણાવ્યું કે "મારા વકિલે કહ્યું કે તમે કોઇપણ ચેનલ જોડે વાત ન કરો. છતાં હું મીડિયાને મળતો રહું છું મને કોઇ પ્રોબલેમ નથી થેન્ક્યું વેરી મચ"
બોલિવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણના આરોપ લગાવ્યા બાદ તેની સામે મુંબઇની ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જાણકારી અનુસાર આ ફરિયાદમાં નાના પાટેકર સહિત ગણેશ આચાર્યના નામનો પણ સમાવેશ થાય છે. નાના પાટેકર સામે કલમ 354 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તનુશ્રીએ પોતાના આરોપમાં તેમ પણ જણાવ્યુ છે કે સોંગ માટે નાના સાથે ઇન્ટિમેટ સીન શૂટ કરવાની સ્પષ્ટ મનાઇ કરી હતી જેથી નાના પાટેકરનો ઇગો હર્ટ થઇ ગયો. આ પછી તનુશ્રીને અનેક રીતની મુશ્કલીઓનો સામનો કરવો પડ્યો હતો.
કથિત રીતે તેના પર કાર હુમલો પણ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે આ મામલામાં સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનને ફરિયાદ પણ કરી હતી પરંતુ તેની પર કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મના જે ગીત પર વિવાદ થયો હતો તેને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરી રહ્યા હતા.
આ વિવાદ સામે આવ્યા પછી તેણે નાના પાટેકરને સપોર્ટ કર્યો હતો. જે પર તનુશ્રી દત્તાએ તેને ખોટો અને ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતો વ્યકિત ગણાવ્યો હતો. તેણે કહ્યુ કે ગણેશ આચાર્ય સેટ પર જે થયું તેનો ક્યારેય સ્વીકાર કરશે નહીં. તો બીજી તરફ નાના પાટેકરે મીડિયા સાથ વાતચીત કરીને તનુશ્રી દત્તાને જૂઠી કહી હતી.
નાના કહ્યુ કે ''જે ખોટું છે તે ખોટું જ છે.'' આ પહેલા નાના કહી ચૂક્યા છે કે ''તેઓ જૈસલમેરમાં શૂટિંગ કરી રહ્યા છે અને 7-8 ઓક્ટોબરના મુંબઇ આવશે ત્યારે તમામ સવાલોના જવાબ આપશે.''
તનુશ્રીના છેડછાડના આરોપો પર નાનાએ કહ્યુ કે ''આ તમારા પર છે કે તમારે કઇ વાતનો વિશ્વાસ કરવો. શું તમને લાગે છે હું આટલો ખરાબ વ્યકિત છું? શું લોકો મારા માટે કઇ નથી જાણતા? મારે મારું સારું ચરિત્ર સાબિત કરવાની જરૂર નથી.
હું ફિલ્મોમાં વધારે ડાન્સ કરતો નથી તો કઇ રીતે હું અશ્લીલ સ્ટેપ કરવા માટે કહીશ? એવી સ્થિતિમાં ક્યાં તો હું આ તમામ આરોપોને ઇન્કાર કરીને કહી શકું છુ કે તે ખોટું બોલી રહી છે અથવા તો મારી ઇમેજ ખરાબ કરવા માટે તેણે કોર્ટ સુધી લઇ જઇ શકું છું. આ સિવાય હું કરી પણ શું શકું છું. હું મુંબઇ પરત આવીને આ અંગે વાત કરીશ''