ગુજરાતના ગાંધીધામના તનિષ્કના શોરૂમ પર હુમલાની અફવા મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નિવેદન બહાર પાડ્યું છે. સ્ટોર બહાર માફીનામું પણ લગાવાયું છે.
ગાંધીધામ તનિષ્ક શો રૂમમાં હુમલાની અફવાનો મામલો
તનિષ્ક ગાંધીધામ શો રૂમ પર માફીનામું લગાવાયું
પોલીસે શો રૂમ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો
શું હતી અફવા ?
તનિષ્કના વિજ્ઞાપનના કારણે સોશ્યલ મીડિયામાં થઇ રહેલા હંગામાના કારણે હુમલા થઇ હોવાની ઘટના વિશે સોશ્યલ મીડિયા અને કેટલાક નેશનલ મીડિયા અહેવાલોમાં ચર્ચા હતી. દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધીધામમાં આવેલ તનિષ્કના શો રૂપ હુમલો કરાયો અને દરવાજા પર વિજ્ઞાપન માટે માફીપત્ર લગાવવા દબાણ કરવામાં આવ્યું. જોકે આ સમગ્ર ઘટના એક અફવા હોવાનું સામે આવ્યું છે. શોરૂમના માલિકે તેમાં સ્પષ્ટતા કરી છે કે શોરૂમમાં કોઈ જ જાતની તોડફોડ થઇ નથી અને આ સમગ્ર ઘટના એક અફવા છે.
પોલીસે ઘટનાને અફવા ગણાવી :
નેશનલ મીડિયા દ્વારા આવા અહેવાલો બહાર આવ્યા બાદ દેશભરમાં આ ખબર ખૂબ વાયરલ થઇ હતી. જે બાદ પોલીસ તે શોરૂમ પર પહોંચી હતી અને નિવેદન આપ્યું કે આ બધી ખબરો જે ચાલી રહી છે તે પ્રોપેગેન્ડા હેઠળ ચાલી રહ્યું છે અને અફવા છે.
ગાંધીધામ તનિષ્ક શો રૂમમાં હુમલો થવાની ઘટના અફવા હોવાનું સામે આવ્યું, જોકે કેટલાક સંગઠનોએ ગુજરાતીમાં માફીનામું લગાવવા માગ કરી હતી. પોલીસે શો રૂમ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. #Gandhidham#Tanishqpic.twitter.com/FjHrVAf6Fe
On Oct 12, two people came to #Tanishq store in Gandhidham & demanded to put up an apology in Gujarati. The shop owner had fulfilled the demand but he was getting threat calls from Kutch. The news about the store being attacked are false: Mayur Patil, SP, Kutch (East), Gujarat pic.twitter.com/7BYQJn4Akd
ગાંધીધામ તનિષ્ક શો રૂમમાં હુમલાની અફવા છે જોકે તનિષ્ક ગાંધીધામ શો રૂમ પર માફીનામું લગાવાયું છે. કેટલાક સંગઠનોએ ગુજરાતીમાં માફીનામું લગાવવા માગ કરી હતી. ત્યારબાદ ધમકી ભર્યા કોલ પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે શો રૂમ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.
The store has not been attacked. However, I received some threat calls. The police have supported us: Rahul Manuja, manager of Tanishq store in Gandhidham, Kutch in Gujarat https://t.co/IWTpQCbTs1pic.twitter.com/nD0lznJPX8
કેટલાક સંગઠનોએ ગુજરાતીમાં માફીનામું લગાવવા કરી હતી માગ
જોકે કેટલાક સંગઠનોએ ગુજરાતીમાં માફીનામું લગાવવા માંગ કરી હતી જે બાદ શોરૂમ બહાર ગુજરાતીમાં જ માફીનામું લગાવવામાં આવ્યું છે. સ્ટોરના મેનેજરે કહ્યું કે કોઈ જાતની તોડફોડ કરવામાં આવી નથી જોકે ધમકીભર્યા કૉલ આવ્યા હતા. પોલીસે હાલ તો શોરૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધા છે.
શું છે જાહેરાત વિવાદ ?
ટાટા સમૂહની પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક દ્વારા વિજ્ઞાપન હટાવી દેવામાં આવી છે જેના પર સોશ્યલ મીડિયામાં ખૂબ હંગામો કરવામાં આવી રહ્યો છે. આ વિજ્ઞાપનના કારણે સોશ્યલ મીડિયામાં ખાસ કરીને ટ્વિટરમાં #BoycottTanishq ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં લોકોનો બળાપો જોયા બાદ હવે હવે કંપનીએ વિજ્ઞાપનને હટાવી દીધું છે.
હિંદુ મહિલાના મુસ્લિમ પરિવારમાં લગ્ન દર્શાવવામાં આવ્યા છે
નોંધનીય છે કે હાલમાં જ કંપનીએ આ વિજ્ઞાપન બહાર પાડ્યું હતું જેમાં બે અલગ અલગ ધર્મના વ્યક્તિ વચ્ચે વિવાહ દર્શાવવામાં આવ્યા છે. જે બાદ ઘણા બધા લોકોએ કંપનીને ટ્રોલ કરવાની શરૂઆત કરી. આ વિજ્ઞાપનમાં એક હિંદુ મહિલા દર્શાવવામાં આવી છે. આ મહિલાના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે છતાં હિંદુ સંસ્કૃતિનું ધ્યાન રાખીને પરીવારે રીતી રીવાજ કર્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.