સૈફ અલી ખાન સ્ટારર વૅબ સિરીઝ તાંડવને લઇને ખળભળાટ મચી ગયો છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સૈફને નિશાને લેતા કહ્યું કે તે એવી વૅબ સિરીઝનો હિસ્સો બન્યા છે જેમાં હિન્દુ ભાવનાઓને ઠેસ વાગી છે. આ વિવાદ હેઠળ સૈફ અને કરીના કપૂર ખાનના ઘરની બહાર પોલિસ સુરક્ષા આપવામાં આવી છે.
તાંડવનો મહાવિવાદ
સૈફના ઘરની બહાર પોલિસ સુરક્ષા વધી
હિન્દુ ઘર્મની લાગણી દુભાયાનો આરોપ
કરીના અને સૈફના ઘર ફોર્ચ્યુન હાઇટ્સ બહાર પોલિસની કડક સુરક્ષા આપવામાં આવી છે. ઘરની બહારની તસવીરો સામે આવી છે જેમાં ચારે તરફ પોલીસ જોવા મળી રહી છે.
મહત્વનું છે કે સૈફ હાલમાં પોતાના પ્રોજેક્ટ માટે મુંબઇથી બહાર છે અને આ વચ્ચે તાંડવને લઇને હંગામો થયો છે. જેના કારણે ઘરની બહાર પોલિસ મુકવામાં આવી છે,
સૈફ સાથે ઝીશાન પર નિશાન
સૈફ અલી ખાન સિવાય સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર અને એક્ટર ઝીશાન અયુબ પર પણ રામ કદમે નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, અલી અબ્બાસ ઝફરે સિરીઝમાં ભગવાન શિવનું મજાક છે તે સિનને હટાવવો જોઇએ. જો બદલાવ નહી થાય તો સિરીઝને બોયકોટ કરવામાં આવશે.
સિરીઝમાં સૌથી વધારે ઝીશાન અયુબના એક વીડિયોને શૅર કરવામાં આવી રહ્યો છે જેમાં તે ભગવાન શિવ બનીને કંઇક એક્ટિંગ કરી રહ્યો છે. ઝીશાન કેમ્પસના વિદ્યાર્થીઓ સાથે આઝાદીની વાત કરી રહ્યો છે. વિધાયકે ઝીશાન પાસે માફીની માગ કરી છે.
સુનિલ ગ્રોવર સહિત એક્ટર્સ પર FIR
લખનઉમાં એક્ટર સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધૂલિયા જેવા દિગ્ગજ કલાકારો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ વિવાદના કારણે સોશ્યલ મિડીયા પર પણ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.
સરકારે એમેઝોન પ્રાઇમ પાસે માંગી સફાઇ
તાંડવને લઇને થઇ રહેલા વિવાદમાં સૂચના પ્રસારણ મંત્રાલયે સિરીઝને લઇને એમેઝોન પ્રાઇમ પાસેથી સફાઇ માંગી છે. દેશભરમાં આ સિરીઝને લઇને જે પ્રકારે વિરોધ વંટોળ ઉભો થયો છે તેને લઇને સરકાર પણ હવે એક્શનમાં આવી છે.