બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 AM, 12 October 2024
તમિલનાડુના તિરુવલ્લુરમાં ગઈ રાતે મૈસૂર-દરભંગા એક્સપ્રેસની માલગાડી સાથે ટક્કર બાદ બે કોચમાં આગ લાગી હતી. તિરુવલ્લુરમાં આ ટ્રેન દુર્ઘટના બાદ બે ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જયારે આઠ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના ચેન્નઈ ડિવિઝનના પોનેરી-કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન (ચેન્નઈથી 46 કિમી) વચ્ચે થયો હતો. દુર્ઘટના બાદ રેલવે ટ્રેક પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
#WATCH | Tamil Nadu: Latest drone visuals from Chennai-Guddur section between Ponneri- Kavarappettai railway stations (46 km from Chennai) of Chennai Division where Train no. 12578 Mysuru-Darbhanga Express had a rear collision with a goods train, last evening.
— ANI (@ANI) October 12, 2024
12-13 coaches… pic.twitter.com/F7kp7bgLdV
અહીં શુક્રવારે સાંજે મેઈન લાઈનમાં જવાને બદલે મૈસૂર-દરભંગા એક્સપ્રેસ લૂપ લાઈનમાં ગઈ અને ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ ગઈ. ટક્કર બાદ દરભંગા એક્સપ્રેસના 12-13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 19 લોકો ઘાયલ થયા છે, જયારે કોઈ જાનહાનિ થયા હોવાના અહેવાલ નથી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આમાંથી ત્રણ મુસાફરો ICUમાં દાખલ છે.
ADVERTISEMENT
#WATCH | Tamil Nadu: Drone visuals from Chennai-Guddur section between Ponneri- Kavarappettai railway stations (46 km from Chennai) of Chennai Division where Train no. 12578 Mysuru-Darbhanga Express had a rear collision with a goods train, yesterday evening.
— ANI (@ANI) October 12, 2024
12-13 coaches of… pic.twitter.com/QnKmyiSVY7
દુર્ઘટના પછી, દક્ષિણ રેલ્વેએ હેલ્પલાઇન ડેસ્ક બનાવી અને વિવિધ સ્ટેશનો માટે નંબરો પણ જારી કર્યા છે જેના દ્વારા માહિતી મેળવી શકાય છે. ટ્રેનમાં સવાર મુસાફરોને લઈને બીજી ટ્રેન તિરુવલ્લુરથી દરભંગા માટે રવાના થઈ ગઈ છે.
#WATCH | Stranded passengers of Train No. 12578 Mysuru - Darbhanga Bagmati Express were provided with food and water
— ANI (@ANI) October 12, 2024
A Special Train Departed from Dr. MGR Chennai Central at 04:45 hrs on 12.10.2024 to reach their destination
(Source: Southern Railway) pic.twitter.com/U4zSkGhRfa
દરેક વિભાગ માટે હેલ્પલાઇન નંબર
Southern Railway tweets, "Help Desk Set Up at Dr. MGR Chennai Central Railway Station to Assist Passengers of 12578 Mysuru-Darbhanga Bagmati Express" pic.twitter.com/WiS4WcjLho
— ANI (@ANI) October 12, 2024
કેન્સલ થઈ આ ટ્રેનો
દક્ષિણ રેલવેએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે 11 ઓક્ટોબર 2024ના રોજ લગભગ 20.30 કલાકે ચેન્નઈ ડિવિઝનમાં કાવારાઈપેટ્ટાઈ ખાતે ટ્રેન નંબર 12578 મૈસૂરુ-દરભંગા બાગમતી એક્સપ્રેસ દુર્ઘટનાને કારણે, ટ્રેન સેવાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બાગમતી એક્સપ્રેસની માલગાડી સાથે જોરદાર ટક્કર, 5 ડબ્બાઓ ખડી પડ્યા
આ ટ્રેનોના રૂટ બદલાયા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.