કોરોનાનાં કેસો વધવાને લીધે તમિલનાડુનાં સ્વાસ્થ્ય મંત્રી એમ.એ. સુભ્રમણ્યનએ રાજ્યનાં લોકોને માસ્ક પહેરવા અંગે વિનંતી કરી છે.
તમિલનાડુમાં કોરોનાનાં કુલ 40 નવા કેસ
સ્વાસ્થ્ય મંત્રી સુભ્રમણ્યનએ કરી લોકોને વિનંતી
જાહેર સ્થળો પર માસ્ક પહેરવા કર્યું સૂચન
તમિલનાડુનાં સ્વાસ્થ્ય મંત્રી એમ.એ. સુભ્રમણ્યનએ રાજ્યમાં વધી રહેલા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખીને લોકોને જાહેર સ્થળો પર માસ્ક પહેરવા અને કોવીડ-19 વિરોધી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે વિનંતી કરી છે.
Tamil Nadu Covid cases reach 40, health minister urges people to wear maskshttps://t.co/biilxK9S01
— covid_19_information_jk (@COVID19_disease) March 15, 2023
40 નવા કેસો નોંધાયા
મંગળવારે તમિલનાડુમાં કોવિડનાં કુલ 40 નવા કેસો નોંધાયા હતાં. સ્વાસ્થ્ય મંત્રી એમ.એ. સુભ્રમણ્યનએ કહ્યું કે છેલ્લાં કેટલાક મહિલાઓથી કેસમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ફરીથી તેમા વધારો જોવા મળી રહ્યો છે.
4 દિવસોમાં 1000થી વધારે કેમ્પસ્ યોજાયા - મંત્રી
મંત્રીએ બુધવારે જણાવ્યું કે રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ તાવ અંગેની શિબિરો વેગપૂર્ણરીતે કાર્યરત છે. તેમણે આગળ જણાવ્યું કે આરોગ્ય વિભાગે 476 મોબાઈલ મેડિકલ કેમ્પ્સ શરૂ કર્યાં છે જે વિદ્યાર્થીઓ, છેવાડાનાં ગામડાંનાં લોકો અને અન્ય લોકોને સક્રિયપણ કેમ્પમાં આવરે છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લાં 4 દિવસોમાં 1000થી વધારે કેમ્પસ્ યોજાયા છે.