સોમવારે ગૃહમાં પોતાના સંબોધનમાં રાજ્યપાલે રાજ્યનું નામ તમિલનાડુથી બદલીને તમિઝગમ કરવાની વાત કરતાં હોબાળો
તમિલનાડુ કે તમિઝગમ? નામને લઈને જોરદાર વિવાદ
રાજ્યપાલે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી ગૃહની બહાર નીકળી ગયા
રાજ્યપાલે રાજ્યનું નામ તમિલનાડુથી બદલીને તમિઝગમ કરવાની વાત કરી
તમિલનાડુના રાજકારણમાં સરકાર અને રાજ્યપાલ આરએન રવિ વચ્ચે વિવાદ સર્જાયો છે. વિવાદનું કારણ રાજ્યનું નામ છે. સોમવારે ગૃહમાં પોતાના સંબોધનમાં રાજ્યપાલે રાજ્યનું નામ તમિલનાડુથી બદલીને તમિઝગમ કરવાની વાત કરી હતી. તેમના નિવેદન પર ડીએમકે અને તેના સાથી કોંગ્રેસ અને વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (વીસીકે)એ વિરોધ કરતા હંગામો શરૂ કર્યો હતો.
શું થયું વિધાનસભા ગૃહમાં ?
રાજ્યપાલ આરએન રવિ પોતાના સંબોધનમાં રાજ્યનું નામ તમિલનાડુથી બદલીને તમિઝગમ કરવાની વાત કરી હતી. આ દરમ્યાન હંગામો થયા બાદ સૂત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી દીધું અને ગૃહની બહાર નીકળી ગયા. ભાષણ પછી સત્તાધારી પક્ષોએ તેમના પર એક પછી એક આરોપ લગાવ્યા. વાત અહી અટકી ન હતી. મંગળવારે રાજ્યના માર્ગો પર 'ગેટ આઉટ રવિ'ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ટીપીડીકેના કાર્યકરો કોઈમ્બતુરમાં રાજ્યપાલ સામે વિરોધ પ્રદર્શન કરે છે. રાજકીય પક્ષોએ રાજ્યપાલ આરએન રવિને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ રાજ્યપાલનું પૂતળું પણ બાળ્યું હતું.
#WATCH | Chennai: Governor RN Ravi walks out of Tamil Nadu assembly after CM MK Stalin alleged Governor R N Ravi skipped certain parts of the speech & "has completely gone against the decorum of the assembly."
રાજ્યપાલના અધૂરા ભાષણ બાદ શાસક પક્ષ અને તેના સહયોગીઓએ રાજ્યપાલ પર અનેક આરોપો લગાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, રાજ્યપાલ રાજભવનથી રાજ્યમાં આરએસએસ અને ભાજપનો એજન્ડા લાગુ કરવા માંગે છે. અમે આવું બિલકુલ થવા દઈશું નહીં. રાજ્યપાલ પાસે તમિલનાડુ ઉપરાંત નાગાલેન્ડનો હવાલો હોવાથી પક્ષોએ તેમના પર નિશાન સાધતા કહ્યું કે, નાગાલેન્ડની ચતુરાઈ અહીં કામ નહીં કરે.
ડીએમકેએ શું કહ્યું?
ડીએમકેએ સવાલ ઉઠાવ્યા છે કે, શું રાજ્યપાલને રાજ્યનું નામ બદલવાનો અધિકાર છે, તે પણ કોઈ મોટા કારણ વગર. રાજ્યપાલ કહે છે કે, છેલ્લા 50 વર્ષમાં દ્રવિડ પાર્ટીઓએ રાજ્યની જનતા સાથે છેતરપિંડી કરી છે.
Tamil Nadu | Posters 'Get out Ravi' seen around Valluvar Kottam and Anna Salai in Chennai
A ruckus broke out in Assembly y'day when Gov RN Ravi began his address. Later, after concluding his address, he walked out when CM alleged that the Gov skipped certain parts of the speech pic.twitter.com/XU7MDDORhV
'નાડુ' શબ્દમાં એવું શું છે ?
આ સમગ્ર વિવાદને સમજીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે 'નાડુ' શબ્દને લઈને સમગ્ર હંગામો મચ્યો છે. રાજ્યનું નામ તમિલનાડુ છે, પરંતુ રાજ્યપાલે તેના માટે તમિઝગમ રાખવાનું કહ્યું. 'નાડુ' શબ્દનો અર્થ થાય છે જમીન. એક અહેવાલ મુજબ તમિલ ઈતિહાસના ખોટા અર્થઘટન અને અનુવાદની જટિલતાઓને કારણે નાડુ શબ્દનો અર્થ દેશ અથવા રાષ્ટ્ર-રાજ્ય થયો છે. આ રીતે રાજ્યને અહીં તમિલ રાષ્ટ્રવાદ તરીકે જોવામાં આવે છે. જ્યારે રાજ્યપાલે તેમાં ફેરફારની વાત કરી તો રાજકીય પક્ષો નારાજ થઈ ગયા.
એવું નથી કે ગૃહમાં પહેલીવાર રાજ્યપાલે તમિલનાડુના નામને લઈને નિવેદન આપ્યું છે. 4 જાન્યુઆરીના રોજ રાજભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમિલનાડુને લઈને એક અલગ પ્રકારની વિચારસરણી વિકસિત થઈ છે. જ્યારે પણ આખા દેશમાં કંઈક લાગુ થાય છે, ત્યારે તમિલનાડુનો જવાબ 'ના' હોય છે. આદત જેવી થઈ ગઈ છે. આના પર ઘણું લખાયું છે જે ખોટું અને ખરાબ છે. આ વિચાર બદલવો જોઈએ. સત્યનો વિજય થવો જોઈએ. તમિઝગમ એ કહેવા માટે વધુ યોગ્ય શબ્દ છે.
પોંગલ આમંત્રણમાં તમિઝગામના ગવર્નર તરીકે લખ્યું
નામને લઈને શરૂ થયેલો વિવાદ અટકતો નથી. હવે રાજભવનથી રાજકીય પક્ષોને મોકલવામાં આવેલા પોંગલના આમંત્રણ પત્ર પર પણ હોબાળો શરૂ થઈ ગયો છે. આમંત્રણ પત્રમાં આરએન રવિને તમિઝગામના રાજ્યપાલ લખવામાં આવ્યા છે, તેમાં તમિલનાડુ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. CPM સાંસદ વેંકટેશને ટ્વિટર પર આમંત્રણનો ફોટો પોસ્ટ કરીને વિરોધ કર્યો હતો. કોઈમ્બતુરમાં DMK સરકારના સહયોગી TPDK એ રાજ્યપાલ સામે વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા.