તમિલનાડુ સરકારે કોરોનાને નાથવા માટે કડકમાં કડક પ્રતિબંધો લાગુ પાડી દીધા છે.
તમિલનાડુ સરકારે નવા પ્રતિબંધોની કરી જાહેરાત
26 એપ્રિલથી નવા પ્રતિબંધો લાગુ પડશે
સિનેમા હોલ, જિમ, મનોરંજન પાર્ક, ક્લબ બંધ
રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે 26 એપ્રિલથી રાજ્યમાં તમામ સિનેમા હોલ, જિમ, મનોરંજન પાર્ક, ક્લબ, તમામ બાર, ઓડિટોરીયમ, તથા મીટિંગ હોલ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં જાહેર અને ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. જોકે શાકભાજીની દુકાનો, મોલ તથા બીજી જીવનજરુરી વસ્તુઓને છૂટ આપવામાં આવી છે.
તમિલનાડુમાં શું શું ચાલુ રહેશે
- સીમિત સમયમાં ઈ કોમર્સ ડિલિવરી અને ઓપરેશન ચાલુ રહેશે.
- સ્ટેડઅલોન ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને સુપરમાર્કેટ પણ 50 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે મંજૂરી અપાઈ છે.
- રેસ્ટોરન્ટ અને હોટલમાં ટેક અવે સર્વિસ ચાલુ રાખવામાં આવી છે.
- લગ્નમાં ફક્ત 50 લોકોને અને અંતિમવિધિમાં 25 લોકોને મંજૂરી
- આઈટી અને આઈટીઈએસ કંપનીઓએ 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ આપવું પડશે.
આ સેવાઓ બંધ રહેશે
- બ્યૂટી પાર્લર્સ, સ્પા, સલૂન, હજામતની દુકાનો બંધ રહેશે.
- મંદિરોમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ
- ચાની તમામ દુકાનો બંધ રાખવાનો ઓર્ડર
- સ્પોર્ટ્સ ટ્રેઈનિંગ એકેડમી પણ બંધ રાખવાનો આદેશ
દેશમાં સતત ત્રીજા દિવસે 3 લાખથી વધારે કેસ
સતત ત્રીજા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુંસાર શુક્રવારે રાતે 12 વાગે 24 કલાકમાં ભારતમાં 345, 147 નવા કેસ આવ્યા છે. ત્યારે આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2621 કોરોનાના દર્દીના મોત થયા છે. સતત 8 દિવસોથી કોરોનાના દર્દીના મોતની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે.
દેશમાં મરનારાની કુલ સંખ્યા વધીને 1, 89, 549 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,66,02,456 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસના દર્દીઓની સંખ્યા 25,43,914 પર પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમિતોની સંખ્યાના 15.3 ટકા છે. આ પહેલા ગુરુવારે રાત સુધીમાં કોરોનાથી 3.32 લાખ નવા કેસ આવ્યા હતા. આ દરમિયાન 2250થી વધારે લોકોના મોત થયા ગતા. આ રીતે ભારતમાં દુનિયાભરમાં કોરોનાના મામલામાં રેકોર્ડ તુટ્યો છે. અમેરિકા પણ ડેલી કેસ મામલામાં ભારતથી પાછળ છુટી ગયો છે જે દેશ માટે ચિંતાનો વિષય છે.
સાજા થનારાનો દર સાડા 83 ટકા થયો છે
કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 83.5 ટકા રહી ગયો છે. આંકડાના જણાવ્યાનુસાર આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને
1,38,62,119 થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.1 ટકા થઈ ગયો છે.
8 રાજ્યોમાં 77 ટકા મોત
દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધારે મોત 773 મહારાષ્ટ્રમાં થઈ. આ બાદ દિલ્હીમાં 348, છત્તીસગઢમાં 219, ઉત્તર પ્રદેશમાં 196, ગુજરાતમાં 142, કર્ણાટકામાં 190, પંજાબમાં 75 અને મધ્ય પ્રદેશમાં 74 લોકોના મોત થયા હતા. આ 8 રાજ્યોમાં કુલ 2017 મોત થયા છે. જે કુલ 2620 મોતના 76.98 ટકા છે.