તમિલનાડુ સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનને આર્થિક પરિષદમાં સામેલ કર્યાં છે.
આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનને નવી જવાબદારી
તમિલનાડુ સરકારની આર્થિક સલાહકાર પરિષદમાં સામેલ થયા
મુખ્યમંત્રી સ્ટાલિનની એડવાઈઝરી કાઉન્સિલમાં ઘણા એક્સપર્ટ્સ
મોદી સરકારની આર્થિક નીતિઓના ઘોર ટીકાકાર રહ્યાં છે રઘુરામ રાજન
આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનને નવી જવાબદારી મળી છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની એડવાઈઝરી કાઉન્સિલમાં રાજનને સામેલ કરાયા છે. સીએમની એડવાઈઝરી કાઉન્સિલમાં ઘણા આર્થઇક વિશેષજ્ઞોને સામેલ કરાયા છે.
એસ્થર ડફ્લો અને ડોક્ટર અરવિંદ સુબ્રમણ્યમને પણ સ્થાન અપાયું
તમિલનાડુ સરકારની આ આર્થઇક સલાહકાર પરિષદમાં આર્થિક નિષ્ણાંતોની ઉપરાંત રઘુરામ રાજનની સાથે એસ્થર ડફ્લો અને ડોક્ટર અરવિંદ સુબ્રમણ્યમને પણ સ્થાન અપાયું છે. રઘુરામ રાજન મોદી સરકારની આર્થિક નીતિઓના ઉગ્ર ટીકાકાર રહ્યાં છે. ભારતમાં કોરોનાની બેકાબૂ સ્થિતિ બદલ તેમણે લીડરશીપ અને દૂરદર્શિતાના અભાવને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગત વર્ષે કોરોનાની પહેલી બાદ દેશમાં પેદા થયેલી આત્મમુગ્ધતાનું ફળ ભારતને ભોગવવું પડ્યું છે.
તમિલનાડુ સરકારની આર્થિક સલાહકાર પરિષદમાં અરવિંદ સુબ્રમણ્યમને પણ જગ્યા મળી છે. નાણા મંત્રાલયના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્મયે જુલાઈ 20-2020 માં અશોકા યુનિવર્સિટીમાં ઈકોનોમી વિભાગના પ્રોફેસર તરીકે કામ શરુ કર્યું હતું. ચાલુ વર્ષના માર્ચમચાં તેમણે યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે રાજીનામું આપી દીધું હતું.
તમિલનાડુ વિધાનસભાનું સત્ર શરુ થયું
તમિલનાડુના ગર્વનર બનવારીલાલ પુરોહિતે જણાવ્યું કે તાજેતરના વર્ષમાં રાજ્યમાં આવેલી આર્થિક મંદીનો પ્રવાહ બદલવા માટે રાજ્ય સરકાર તેનાથી બનતા તમામ પ્રયાસો કરશે. 16 મા તમિલનાડુ વિધાનસભાના સત્રમાં બોલતા ગર્વનરે જણાવ્યું કે તમિલનાડુ સરકારે મુખ્યમંત્રીની આર્થિક સલાહકારી પરિષદની રચના કરશે જેમાં વિશ્વના ટોચના આર્થિક નિષ્ણાંતોને સામેલ કરવામાં આવશે.