ગૃહમંત્રી અમિત શાહ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે તમિલનાડુમાં રાત્રે તેઓ અચાનક એક હોટલમાં પહોંચ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે તાબડતોબ કર્યો ચૂંટણી પ્રચાર
તમિલનાડુમાં રાત્રે પહોંચ્યા હોટલમાં
સોશ્યલ મીડિયામાં તસવીરો થઈ વાયરલ
શું છે સમગ્ર મામલો?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાંચ રાજ્યોની ચૂંટણીમાં જનસભાઓ ગજવી રહ્યા છે ત્યારે ગુરુવારે તમિલનાડુના પ્રવાસ દરમિયાન રાત્રે અચાનક તેઓ રોડસાઈડ એક હોટલમાં આવી પહોંચ્યા અને ડિનર લીધું. તેમણે સામાન્ય માણસની જેમ જ ત્યાં ભોજન કર્યું અને તેમની સાથે રાષ્ટ્રીય મહાસચિવ અને તમિલનાડુ પ્રભારી સિટી રવિ પણ ઉપસ્થિત હતા.
સોશ્યલ મીડિયામાં તસવીરો વાયરલ
નોંધનીય છે કે ગુરુવારે તેમણે બે રાજ્યોમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. પૂડુંચેરીમાં રોડશો અને રેલી કર્યા બાદ તેઓ તમિલનાડુ પહોંચ્યા જ્યાં તેમણે જનસભા અને રોડ શો કર્યા. આખા દિવસના વ્યસ્ત કાર્યક્રમ બાદ તેઓ રાત્રે એક સામાન્ય માણસની જેમ હોટલમાં પહોંચ્યા હતા. તમિલનાડુના કૃષ્ણરાયપુરમમાં આવેલ એક હોટલમાં તેમણે ભોજન કર્યું.
It is a great honour to share a meal with Union Home Minister Sri @AmitShah at Prithvi Hotel, Krishnarayapuram near Karuru.
At the end of a hectic day, "The Chanakya" was all smiles while signing His autograph.
Tamil Nadu: Union Home Minister Amit Shah along with CT Ravi & other BJP leaders dines at a restaurant in Krishnarayapuram, Karur district. pic.twitter.com/PbJzXGxmSK
અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીની માતા વિરુદ્ધ DMK નેતા એ રાજા દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ DMK પર નિશાન સાધ્યું હતું.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે તેમણે કહ્યું કે રાજાના નિવેદનથી સ્પષ્ટ છે કે પાર્ટી મહિલાઓનું સન્માન નથી કરતી. શાહે અહીં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં DMK પર ગમે તે રીતે ચૂંટણી જીતવાની ઇચ્છા હોવાનો આરોપ લગાવ્યો હતો.
DMK મહિલાઓનું સન્માન નથી કરતી
તેમણે કહ્યું, 'મેં DMK નેતા એ રાજાનું નિવેદન જોયું. તેમણે મૃત મહિલા સામે જે પ્રકારનું નિવેદન આપ્યું છે, મને લાગે છે કે તેની અંદર મહિલાઓ પ્રત્યે કોઈ આદર નથી અને તેઓ કોઈપણ કિંમતે આ ચૂંટણી જીતવા માંગે છે. ' ભાજપ નેતાએ કહ્યું કે, 'અગાઉ પણ DMK એ જયલલિતાજી (દિવંગત મુખ્ય પ્રધાન) વિરુદ્ધ આવી ખરાબ ટિપ્પણીઓ કરી હતી. હું તમિલનાડુની માતાઓ અને બહેનોને ચૂંટણીમાં મહિલા વિરોધી DMK ને પાઠ ભણાવવાની અપીલ કરું છું. '
તેમણે કહ્યું કે રાજ્યની 'માતાઓ અને બહેનો'એ 6 એપ્રિલની વિધાનસભાની ચૂંટણીમાં DMK ને પાઠ ભણાવવો જોઈએ. ભાજપના સાથી AIADMK ના નેતા અને રાજ્યના CM પલાનીસ્વામીની માતા સામે રાજાની કથિત વાંધાજનક ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કથિત ભ્રષ્ટાચાર અને રાજવંશના રાજકારણ માટે કોંગ્રેસ અને DMK પર પણ નિશાન સાધ્યું હતું.