બ્રેકિંગ ન્યુઝ
VTV / tamil nadu ambulance stopped for dmk minister anbil mahesh poyyamozhi convoy
Pravin
Last Updated: 03:08 PM, 9 August 2022
ADVERTISEMENT
તમિલનાડૂના તંજાવુરમાં સોમવારે એક શરમજનક ઘટના સામે આવી હતી. કુંભકોણમ શહેરમાં રાજ્યના શિક્ષણમંંત્રી અંબિલ મહેશ પોય્યામોઝીના કાફલાના રસ્તો આપવા માટે એમ્બ્યુલન્સને પણ રોકી દેવામાં આવી હતી. એમ્બ્યુલન્સ મંત્રીનો કાફલો પસાર ન થાય ત્યાં સુધી સાયરન વગાડતા રાહ જોઈને ઊભી રહી હતી. કાફલો પસાર થયા બાદ એમ્બ્યુલન્સને કંભકોણમમાં એક પુલ પાસે રોકી દેવાનો વીડિયો વાયરલ થયા બાદ અંબિલ મહેશ પોય્યામોઝીએ આ ઘટનાની ટિકા કરી હતી.
ADVERTISEMENT
પુર બચાવ અભિયાન કાર્યની સમીક્ષા કરવા જઈ રહેલા મંત્રીના કાફલામાં લગભગ 20-25 કાર હતી. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું હતું કે, આખો કાફલો પસાર થયો હતો, ત્યાં સુધી એમ્બ્લ્યુલન્સની સાયરન વાગતી રહી. એક પોલીસ અધિકારીએ એમ્બ્યુલન્સની આગળ ઊભા રહીને મંત્રીના કાફલાના સલામી ઠોકતા જોવા મળ્યા હતા. મંત્રી સાથે કલેક્ટર અને અન્ય અધિકારીઓ પણ સલામી આપતા રહ્યા પણ કોઈએ એમ્બ્યુલન્સ તરફ ધ્યાન ન આપ્યું. મંત્રીનો કાફલો પસાર થયા બાદ જ એમ્બ્યુલન્સને પસાર થવા દીધી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરસ થયાં બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. જે બાદ મંત્રી અંબિલ મહેશે સ્પષ્ટતા કરતા કહ્યું કે, અનાઈકટ્ટુી પુલ પર વનવે રોડ ખુલ્લો હતો. કારણ કે બીજી તરફ સમારકામ ચાલી રહ્યું હતું. પુલ સાંકળો છે. એટલા માટે વાહનોને લાઈનમાં જવામાં દેવામાં આવ્યા હતા.
વિપક્ષી પાર્ટીઓએ આ ઘટનાની ટીકા કરી છે. તેમણે મંત્રીની સાથે સાથે એ લોકો પર પણ કાર્યવાહી કરવાની માગ કરી છે, જે આ ઘટનામાં સામેલ છે. ઓલ ઈંડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમે કહ્યું કે, મંત્રી આમ આદમી માટે અસવંદેનશીલ થઈ ગયા છે. ઉપરાંત જણાવ્યું છે કે, સીએમે તો ત્યાં સુધી કહ્યું હતું કે, તેમના કાફલામાં 50 ટકાનો ઘટાડો કરશે. જે હાલમાં પણ થયું નથી. તો વળી ભાજપના પ્રવક્તા નારાયણન તિરુપતિએ માગ કરી છે કે, તમિલનાડૂના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મંત્રી સહિત તમામ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.