બોલિવૂડ જગતથી એક પછી એક દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે. તમિલની જાણીતી ટીવી એક્ટ્રેસ વીજે ચિત્રાના નિધનની ખબર આવી છે. વીજે ચિત્રાની ઉંમર 28 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તેણે ચેન્નઈના નસરપેટમાં એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. હોટલના રૂમમાં તેનું શવ મળ્યું હતું. હાલમાં જ તેઓની સગાઈ ચેન્નઈના જાણીતા બિઝનેસમેન હેમંત રવિ સાથે થઈ હતી. વીજે ચિત્રાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ છે.
એક્ટ્રેસ વીજે ચિત્રાનું નિધન
ચેન્નઈના નસરપેટમાં એક હોટલમાં ફાંસી ખાઈને આત્મહત્યા કરી
ચેન્નઈના જાણીતા બિઝનેસમેન હેમંત રવિ સાથે કરી હતી સગાઈ
એક્ટ્રેસ વીજે ચિત્રાને પાંડિયન સ્ટોર્સના સિરિયલમાં તેમના રોલ માટે જાણીતી માનવામાં આવતી હતી. જે હાલમાં વિજય ટીવી પર પ્રસારિત કરાય છે. ચિત્રા આ ધારાવાહિકમાં મુલઈની ભૂમિકા કરી રહી છે.
મળતી માહિતી અનુસાર ઈવીપી ફિલ્મ સીટીમાં શૂટિંગ બાદ ચિત્રા રાતે લગભગ 2.30 વાગે હોટલ આનવી અને તે તેના મંગેતર સાથે રહેતી હતી. પોલીસને મળેલા નિવેદનમાં હેમંતે કહ્યુ કે હોટલ આવ્યા બાદ ચિત્રાએ કહ્યું કે તે નહાવા જઈ રહી છે અને લાંબા સમય સુધી તે બહાર ન આવી. તેણે દરવાજો ખખડાવ્યો તો તેને કોઈ જવાબ ન મળ્યો. આ સમયે હેમંતે હોટલના સ્ટાફને જાણ કરી અને સાથે ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો તો તેનું શવ સિલિંગ સાથે લટકેલી હાલતમાં મળ્યું. ફેન્સ ટ્વિટ કરી રહ્યા છે કે તેમને વિશ્વાસ નથી થતો કે ચિત્રાએ સુસાઈડ કરી લીધું છે અને તે હવે આ દુનિયામાં નથી.
We miss you so much #VjChitra akka 😭😭😭😭 Can't believe that you are not with us 😪😔 Rest In Peace.. in soul. 😪😭 lots of prayers and support to your family and to your luvd ones... 😭😭😭😭😭 pic.twitter.com/WmAInDx72P
એક્ટ્રેસ ચિત્રાના મોત પર અત્યાર સુધી તેમના પરિવાર કે દોસ્તોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે અન્ય તરફ એક્ટ્રેસના ફેન્સને માટે આ વાત પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ છે કે તે હવે આ દુનિયામાં રહી નથી.