તમિલ એક્ટ્રેસ નિવેથા પેથુરાજે બુધવારે સોશિયલ મીડિયા પર પોતાના ભોજનની એક તસવીર શેર કરી, જેને તેણે ફૂડ એપ સ્વિગીથી ઓર્ડર કર્યું હતું. આ ભોજનમાં કોક્રોચ મળી આવતા એક્ટ્રેસે જોરદાર હંગામો કર્યો.
એક્ટ્રેસ નિવેથાએ સોશિયલ મીડિયા પર તેના ભોજનમાં કોક્રોચ હોવાની વાત જણાવી
નિવેથાએ Swiggyથી જમવાનું મંગાવ્યું હતું
પછી એક્ટ્રેસે ઠાલવ્યો ગુસ્સો
ભાજનમાંથી કોક્રોચ નીકળ્યા બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ફૂડ ડિલીવરી એપ સબિત રેસ્ટોરન્ટની પણ ક્લાસ લગાવી. નિવેથાએ એક પછી એક ઘણાી પોસ્ટ્સ શેર કરી. નિવેથાએ લખ્યું- મને એ વાતનો જરા પણ આઈડિયા નથી કે સ્વિગી ઈન્ડિયા અને તેમાં રહેલાં રેસ્ટોરન્ટે શું સ્ટાન્ડર્ડ બનાવ્યો છે. મને મારા ભોજનમાં બેવાર કોક્રોચ મળી આવ્યો છે. આ રેસ્ટોરન્ટ પર સખત કાર્યવાહી થવી જોઈએ. સાથે જ તેમના પર ફાઈન પણ લગાવવો જોઈએ. મૂનલાઈટ એપને અત્યારે જ એપમાંથી હટાવી દો. ઘણાં લોકોએ એક્ટ્રેસની આ પોસ્ટ પર રિએક્ટ કર્યું અને મેસેજ મોકલી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે આ જ રેસ્ટોરન્ટના તેમના ભોજનમાં પણ કોક્રોચ નીકળ્યા છે.
નિવેથાએ એક અન્ય પોસ્ટ શેર કરીને લખ્યું- મેસેજથી મને જાણ થઈ કે માત્ર હું જ નહીં પણ અન્ય ઘણમાં લોકોના ભોજનમાંથી પણ કોક્રોચ નીકળી ચૂક્યા છે. આ રેસ્ટોરન્ટ આટલી બેદરકારી કઈ રીતે કરી શકે છે. સ્વિગી ઈન્ડિયાથી વિનંતી કરું છું કે આ રેસ્ટોરન્ટને તમારી એપમાંથી હટાવી દો. તમને જણાવી દઈએ કે, રિપ્લાયમાં સ્વિગી ઈન્ડિયાએ એક્ટ્રેસને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ રેસ્ટોરન્ટ સામે કડક પગલાં લેશે.
સ્વિગીએ લખ્યું નિવેધા અમે તમારા આભારી છે કે તમે અમારા પર વિશ્વાસ કર્યો. તમારા પેશન્સનું અમે ધ્યાન રાખીશું. અમારી ટીમ આના પર પગલાં લેશે. નિશ્ચિંત થઈ જાઓ. આ મુદ્દો રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગયો છે.