પાટણમાં 20 જૂનના રોજ જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યા છે. રાધનપુર સાંતલપુર હારીજના સભ્યોને તોડજોડની રાજનીતિથી બચવા માટે અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખની સૂચનાથી કોંગ્રેસના સભ્યોથી અજ્ઞાત સ્થળે મોકવામાં આવ્યા છે.
તો આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે અને પરિણામ પણ આવી ગયા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે. પોતાની સત્તા બચાવવા પાર્ટીઓ પોતાના સદસ્યોને સાચવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યોને અજ્ઞાતવાસમાં લઈ જવામાં આવ્યા છે. તો કેટલાક સભ્યોને જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની બહૂમતિ હોવા છતાં કોંગ્રેસને તેના સભ્યો તુટવાનો ડર લાગી રહ્યો છે તેના કારણે તેણે પોતાના સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલ્યા છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં હાલ પ્રમુખ બનવા માટે કોંગ્રેસ સભ્યોમાં જૂથબંધી જોવા મળી રહી છે. ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 22 સભ્યોનું સંખ્યાબળ છે. પરંતુ કોંગ્રેસને સત્તા છીનવાઈ જવાનો ડર છે.
આપને જણાવી દઇએ કે રાજકોટ જિલ્લા પંચાયતમાં ભંગાણની શકયતાને લઈ કોંગ્રેસ ચિંતામાં મુકાઈ ગઈ છે. ભંગાણની શક્યતાને લઇને કોંગ્રેસે સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી છે. જેથી ચૂંટણીને લઇને કોંગ્રેસના 22 સભ્યો પ્રવાસે ઉપડી ગયા છે. મહત્વપૂર્ણ છે કે જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે મંગળવારે ફોર્મ ભરાશે. જેમાં પ્રમુખ પદ માટે અલ્પના ખાટરિયાનું નામ મોખરે છે.
અમદાવાદમાં જિલ્લા પંચાયતમાં જીત મેળવવા માટે ભાજપ કોંગ્રેસ દ્વારા જોડતોડની રાજનીતિ કરવામાં આવી રહી છે. જેના કારણે કોંગ્રેસના 18 સભ્યોમાંથી 17 સભ્યોને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે. મહત્વનુ છે કે અમદાવાદમાં જિલ્લા પંચાયતમાં ભાજપના 16 સભ્યો છે અને હાલમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છે. ત્યારે હવે 20 જૂનના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ત્યારે હવે આ ચૂંટણીમાં જીત મેળવવા માટે બન્ને પક્ષો દ્વારા જીત મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.