ગુજરાત મોડેલ અને વિકાસ આ બે શબ્દો એટલી બધી વાર કાને અથડાયા છે કે આ શબ્દો હવે કોઈના ભાષણમાં સાંભળીએ તો પણ જાણે માથામાં હથોડા લાગતા હોય તેવું લાગે છે અહીં આજે યાત્રાધામ ના વિકાસ ની વાત કરવી છે હમણા જન્માષ્ટમીના તહેવારો ગયા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો આ તહેવાર ની ધૂમ હોય છે લોકો એક સપ્તાહ બધું ભૂલીને હરવા - ફરવા નીકળી જાય છે હું પણ કેશોદ થઇ ને માધવપુર દરિયા કિનારે ફરવા નીકળ્યો હતો લીલી નાઘેર કહેવાતો માંગરોળ અને માધવપુર એરિયા કોઈ પણ ને મોહી લે છે નાળિયેરીના બગીચા જાણે કાશ્મીર જેવો માહોલ ઉભો કરે છે.
માધવપુર એક યાત્રા ધામ છે ભગવાન કૃષ્ણ અને રુક્મણિના અહીં લગ્ન થયા હતા માધવરાય નું મંદિર દરિયા કિનારા પાર જ છે અનેક લોકો અહીં દર્શન કરવા માટે આવે છે માધવપુર બીચ ખુબ સરસ છે શાંત દરિયો છે પણ માધવરાયના મંદિર કે બીચ પર ક્યાંય પણ લોકો માટે વરસાદ કે તડકામાં ઉભા રહેવા એક છાપરું પણ ઉભું કરાયું નથી અરે એટલું જ નહિ પીવા ના પાણી ન પણ વ્યવસ્થા નથી શૌચાલયો લોક મારેલા હતા આ જોયા પછી દરેક ને થાય કે યાત્રાધામ નો બહુ વિકાસ થયો હોવાની વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિકતા શું આવી જ છે ? કુદરતે જ્યાં અનુપમ સૌંદર્ય અને કિનારાની ભેટ આપી છે પણ તેના વિકાસ માટે કોઈ પગલાં લેવાતા નથી પાંચેક વર્ષ પહેલા હું ગયો હતો તેવી હ હાલત આજે જોવા મળી હતી માધવપુર થી 50 કિમી દૂર પોરબંદર ગયો અને ત્યાં ચોપડી જોઈ તો પણ જીવ બળી ગયો કારણ કે પોરબંદર ની ચોપાટી પર ગંદકી ખુબ હતી અહીં ફરવા આવનાર તો રોકાયા વિના જ જતા રહે...!
દેવેન્દ્ર જાની અભિયાન મેગેઝીનના અસોસિયેટ એડિટર છે.