હવે ગુજરાત સરકાર પણ વસ્તી નિયંત્રણના પહેલાથી લાગુ કાયદામાં ફેરફાર કરી શકે છે.
રાજ્યસભામાં વસ્તી નિયંત્રણ પર પ્રાઇવેટ મેમ્બર બિલ
6 ઓગસ્ટે થઇ શકે છે ચર્ચા બીલ પર ચર્ચા
બિલમાં સરકારી નોકરી, મતાધિકાર છીનવવા ભલામણ
ગુજરાતમાં પણ પોલિસીમાં થઇ શકે છે મોટો ફેરફાર
ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણ કાયદો ઘડવા હિલચાલ
ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં વસ્તી નિયંત્રણ માટેની નવી નીતિ જાહેર કર્યા બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. તેવામાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, હરનાથસિંહ યાદવ અને અનિલ અગ્રવાલે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું છે અને આ બિલ પર ચોમાસુ સત્રમાં ચર્ચા પણ થઈ શકે છે. જોકે ગુજરાતે પણ આ દિશામાં વિચારણાના સંકેત આપી દીધા છે.
ગુજરાતમાં પણ સરકાર મોટો દાવ રમશે?
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે વસ્તી નિયંત્રણ માટે નવી નીતિ જાહેર કર્યા બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. તેમાં પણ ભાજપના ત્રણ સાંસદો દ્વારા રાજ્યસભામાં બિલ રજૂ પણ કરાયું છે. જે મુદ્દે આગામી ચોમાસુ સત્રમાં ચર્ચા થવાની શક્યતા છે. તેવામાં હવે ગુજરાત સરકાર પણ વસ્તી નિયંત્રણના પહેલાથી લાગુ કાયદામાં ફેરફાર કરી શકે છે. ગુજરાતમાં જે કાયદો લાગું છે તે પ્રમાણે, બેથી વધુ બાળક ધરાવતા વ્યક્તિ ચૂંટણીમાં ઉમેદવારી કરી નથી શકતા. જોકે આ કાયદો માત્ર નેતાઓને જ લાગું પડે છે. પરંતુ હવે જે દીશામાં ઉત્તરપ્રદેશ ચાલી રહ્યું છે તે દિશામાં જ ગુજરાત પણ આગળ વધી શકે છે. જેના ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યા છે.
કેમ જરૂરી છે વસ્તીનિયંત્રણ?
વસ્તી નિયંત્રણ જરૂરી શા માટે છે તો આ પાછળ ઘણા મોટા કારણો છે. પહેલું કારણ કરોડોની સંખ્યામાં વધતી વસ્તી જ છે. બીજું કારણ એ છે કે, વસ્તી વધતા ખેતીની જમીન ઘટી રહી છે. શહેરી વિસ્તાર વધી રહ્યા છે. ત્રીજું કારણ એ છે કે, વધારે સંતાનોના કારણે ખેતી ટૂંકી થતી જઈ રહી છે. ચોથું કારણ મર્યાદિત કુદરતિ સંશાધનોની નાગરિકો સુધી પહોંચ જરૂરી છે. પાચમું કારણ છે વહીવટી સેવા નાગરિકો સુધી ઝડપી પહોંચાડવા માટે વસ્તી ઘટાડો જરૂરી છે. છઠ્ઠું કારણ છે વધતી જતી ગરીબીને રોકવા પણ વસ્તી નિયંત્રણ જરૂરી છે.. સાતમું કારણ છે વસ્તી વધારાના કારણે દરેક લોકો સુધી જરૂરી સુવિધાઓ નથી પહોંચી શકતિ. આઠમું કારણ છે ગરીબી. કારણ કે, જેટલી વસ્તી વધી તેટલી ગરીબી વધવાની છે. નવમું કારણ એ છે કે, ગીરબ વર્ગમાં શિક્ષણના અભાવના કારણે સૌથી વધુ જન્મદર જોવા મળી રહ્યો છે અને 10મું કારણ એ છે કે, વધતી વસ્તીના કારણે અર્થવ્યવસ્થામાં વધારો નહીં થાય. કારણ કે, લોકોની બચત કરવાની મર્યાદા ઘટી જશે.
ગુજરાતમાં સતત વધતી વસ્તી
ગુજરાત માટે વસ્તી નિયંત્રણ કેમ મહત્વનું છે અને કેટલા પ્રમાણમાં વસ્તી વધારો થઈ રહ્યો છે. તેના પર નજર કરવામાં આવે તો. ગુજરાતની વસ્તી 1981માં 3 કરોડ 4 લાખ 85 હજાર 799ની હતી. જેમાં 1991માં 72 લાખ 23 હજાર 783ના વધારા સાથે ગુજરાતની વસ્તી 4 કરોડ 13 લાખ 9 હજાર 582ની થઈ હતી. જ્યારે 2001માં 93 લાખ 61 હજાર 435ના વધારા સાથે ગુજરાતની વસ્તી 5 કરોડ, 6 લાખ, 71 હજાર 17 લોકોની પહોંચી ગઈ હતી. જ્યારે 2011ની વાત કરીએ તો. 97 લાખ 68 હજાર 675 ના વધારા સાથે ગુજરાતની વસ્તી 6 કરોડ, 4 લાખ, 39 હજાર 692 કરોડની હતી. જ્યારે 2021માં અંદાજીત 99 લાખ, 60 હજાર 461ના વધારા સાથે હાલ ગુજરાતની વસ્તી 7 કરોડ 4 લાખ 153 હોવાનો અંદાજ છે. આ આંકડા પરથી એટલું ટોક્કસથી કહી શકાય કે, આ લાખોની સંખ્યામાં વધતા વસ્તી વધારા સામે હવે ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણની જરૂર વર્તાઈ રહી છે. જોકે વસ્તી નિયંત્રણનો મુદ્દો ચર્ચામાં આવતા જ રાજકીય પક્ષો કેવી રાજનીતિ કરી રહ્યા છે જરા તે પણ સાંભળો.
કેટલી વધી ગુજરાતની વસ્તી?
ગુજરાતની વાત કરીએ તો દર 10 વર્ષે આપણે ત્યાં 1 કરોડની આસપાસ લોકોની વસ્તી વધી રહી છે. જોકે 2021ના સત્તાવાર આંકડા તો હજૂ નથી આવ્યા પરંતુ અંદાજ પ્રમાણે આ વર્ષે પણ 1 કરોડની આસપાસ ગુજરાતની વસ્તીમાં વધારો જોવા મળી શકે છે અને આ વધારો જ ગુજરાતની જનતાના આર્થિક વિકાસમાં રોડા નાખે છે. તેવામાં જોવાનું એ રહેશે કે, ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણ કાયદા પર વિચારણા થાય છે કે નહીં.