2018માં પંજાબના CM ચરણજીત સિંહ ચન્ની પર પંજાબ સરકારના તત્કાલીન મંત્રી હતા ત્યારે એક મહિલા IAS અઘિકારીને વાંધાજનક સંદેશ મોકલવાનો આરોપ લાગ્યો હતો
હરસિમરત કૌર બાદલે પ્રિયંકા ગાંધી પર શાબ્દિક હુમલો કર્યો
2018માં ચરણજીત સિંહ ચન્ની પર MeToo પર આરોપ લાગ્યાં હતાં
યુપી ચૂંટણીમાં કોંગ્રેસ 33% થી વધુ બેઠકો પર મહિલા ઉમેદવારો ઉતારશે
હરસિમરત કૌર બાદલે પ્રિયંકા ગાંધી પર શાબ્દિક હુમલો કર્યો
યુપી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાના સમાચારે હવે પંજાબના રાજકારણમાં હલચલ તેજ કરી દીધી છે. શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે પ્રિયંકા ગાંધીને મહિલા આરક્ષણ પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સામેના MeToo આરોપોનો ઉકેલ લાવવા કહ્યું છે.
2018માં ચરણજીત સિંહ ચન્ની પર MeToo પર આરોપ લાગ્યાં હતાં
તમને જણાવી દઈએ કે, 2018માં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર પંજાબ સરકારના તત્કાલીન મંત્રી હતાં. ત્યારે એક મહિલા IAS અધિકારીને વાંધાજનક સંદેશ મોકલવાનો આરોપ લાગ્યો હતો. આ અંગે મહિલા IAS અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી ન હતી અને બંને વચ્ચે મામલો ઉકેલાઈ ગયો હતો. જો કે, આ મામલો ફરી એક વખત પ્રકાશમાં આવ્યો જ્યારે પંજાબ મહિલા આયોગની અધ્યક્ષ મનીષા ગુલાટીએ રાજ્ય સરકારને કહ્યું કે તે IAS અધિકારી માટે ન્યાય ઈચ્છે છે, જેમને હવે પંજાબની બહાર બદલી કરવામાં આવી છે. તેણીએ રાજ્ય સરકારને એમ પણ કહ્યું કે જો તે એક સપ્તાહમાં પોતાનું સ્ટેન્ડ નહીં જણાવે તો તે ભૂખ હડતાલ પર ઉતરશે. તેમણે કહ્યું હતું કે, તેમણે મુખ્ય સચિવને પત્ર લખીને સરકાર પાસેથી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.
યુપી ચૂંટણીમાં કોંગ્રેસ 33% થી વધુ બેઠકો પર મહિલા ઉમેદવારો ઉતારશે
યુપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને 33 ટકાથી વધુ બેઠકો પર મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આ માટે પાર્ટી સંગઠનમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી પોતે તેની જાહેરાત કરશે.યુપી વિધાનસભાની 403 બેઠકો માટે ચૂંટણી યોજાય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા 33 ટકા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે તો પણ તેમની સંખ્યા 133 છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણીની સિઝનમાં વધુ સંખ્યામાં મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરશે.