તાલિબાને કહ્યું જમ્મુ કાશ્મીર સહિત દુનિયાના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અમારો અધિકાર છે.
જમ્મુ કાશ્મીના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર- તાલિબાન
અલકાયદાએ તાલિબાન પાસે કાશ્મીરને લઈને મદદ માંગી
અમે તમામ દેશોના મુસલમાનોની સાથે સમાનતા માટે અપીલ કરીશું- તાલિબાન
જમ્મુ કાશ્મીના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર- તાલિબાન
એક તરફ તાલિબાન દોહામાં ભારત સાથે વાત કરી રહ્યા છે અને બીજી તરફ તેમના પ્રવક્તાએ કાશ્મીરના મુદ્દા પર નિવેદન શરુ કરી દીધું છે. ચીનમાં ઉઈગર મુસલમાનોના દમન પર ચુપ રહેનારા તાલિબાન કહે છે કે તેને જમ્મુ કાશ્મીર સહિત દુનિયાના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે.
અલકાયદાએ તાલિબાન પાસે કાશ્મીરને લઈને મદદ માંગી
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીનને આ નિવેદન આપ્યું છે. તાલિબાને આ નિવેદન એવા સમય પર આપ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ રિપોર્ટ આવ્યો છે કે અલકાયદાએ તેમની પાસે કાશ્મીરને લઈને મદદ માંગી છે. જો કે આની પહેલા તાલિબાન નેતૃત્વ કરી ચૂક્યું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવના મુદ્દામાં શામેલ નહીં થાય અને પોતાની જમીનનો ઉપયોગ નહીં થવા દે.
અમે તમામ દેશોના મુસલમાનોની સાથે સમાનતા માટે અપીલ કરીશું- તાલિબાન
એક મીડિયા હાઉસના ઈન્ટર્વ્યૂમાં તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે તેમના સંગઠનની પાસે જમ્મુ કાશ્મીરના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો હક છે. સાથે સુહૈલે અમેરિકાની સાથે થયેલા દોહા સમજૂતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે કોઈ દેશની વિરુધ્ધ સશસ્ત્ર અભિયાન નહીં ચલાવીએ. શાહીને આ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે એક મુસલમાન તરીકે ભારતના કાશ્મીર અથવા કોઈ પણ દેશના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અમારી પાસે અધિકારી છે. અમે તમામ દેશોના મુસલમાનોની સાથે સમાનતા માટે અપીલ કરીશું.
ભારતની પહેલી વાર તાલિબાનની સાથે સત્તાવાર વાતચીત
31 ઓગસ્ટે ભારતે પહેલી વાર તાલિબાનની સાથે સત્તાવાર વાતચીત કરી. આ દરમિયાન ભારતે પોતાની ચિંતાઓ તાલિબાનના નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તનિકજઈને શેર કરી. બેઠકમાં ભારતે કહ્યું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અથવા કોઈ પ્રકારના આતંકવાદ માટ નહીં થવો જોઈએ.
અથડામણ દરમિયાન દાનિશનું મોત થયું હતુ- તાલિબાની
શાહીને ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે તેમને આ અંગે જાણકારી નથી કે કઈ સ્થિતિમાં થયું. શાહીને કહ્યું કે અથડામણ દરમિયાન દાનિશનું મોત થયું હતુ. દાનિશની હત્યા અફઘાનિસ્તાનમાં કરવામાં આવી હતી જેની દુનિયામાં નિંદા થઈ હતી. પ્રવક્તાએ તેની હત્યાના આરોપોને ફગાવી દેતા કહ્યું કે દાનિશની હત્યા સાથે જોડાયેલી તપાસની તમામ જાણકારી જલ્દી મીડિયા સામે શેર કરવામાં આવશે.
શાહીને તે સમાચારોને ફગાવી દીધા જેમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન ઘરે ઘરે જઈ પોતાના ટાર્ગેટ શોધી રહ્યા છે અને પરિવારને ધમકી આપી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે તેમની કોઈ હિટ લીસ્ટ નથી.