અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા દબદબા વચ્ચે તેમણે ભારતને ચેતવણી આપી, કે ભારત કાબુલ પ્રશાસનને સાથ આપવાનું છોડીને નિષ્પક્ષતા દાખવે
તાલિબાને ભારતને આપી ચેતવણી
કાબુલ પ્રશાસનનો સાથ આપવા મુદ્દે કરી ટિપ્પણી
ભારત નિષ્પક્ષતા દાખવે તેવી તાલિબાનની માગ
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગત બુધવારે તાલિબાનીઓ દ્વારા અફઘાનની રાજધાની અને એક સ્થાનિક સેનાના મુખ્યાલય પર તેમણે કબ્જો મેળવી લીઘો છે. અમેરિકાના સૈનિકોપરત ફર્યા બાદ તેમણે અફઘાનિસ્તાનના ઘણા બધા પ્રદેશો પર કબ્જો મેળવી લીધો છે.
અફઘાનમાં રહેતા ભારતીયોની અમને ચિંતા: તાલિબાન
તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને મીડિયા સાથે વાતચીત કરતા ભારતની ભૂમિકા ઉપ પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં જેટલા પણ ભારતીયો રહે છે. તેમની અમને ચીંતા છે. સાથેજ તેમણે કહ્યું અમે અફઘાનિસ્તાનમાં બધાજ દૂતાવાસોની સુરક્ષા પહેલા રાખીએ છે. જે વીશે અમે પહેલા પણ કહી ચુક્યા છે.
ભારત નિષ્પક્ષતા દાખવે તે જરૂરી: તાલિબાન
સુહૈલ શાહીનને મીડિયા દ્વારા એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તાલિબાન ભારતને દોહા મંત્રણામાં શામેલ કરશે ત્યારે તેણે જવાબ આપ્યો કે ભારત સરકાર કાબુલ પ્રશાસસનું સમર્થન કરે છે. જોકે ભારત નિષ્પક્ષતા દાખવે તે પણ ઘણું મહત્વનું છે. જોકે સુહૈલ શાહીને એવું પણ કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના લોકોને સાથ આપે તે મહત્વનું છે. પણ અહીયાની થોપેલી સરકારનો સાથ ન આપવો જોઈએ.
પુનનિર્માણ માટે સકારાત્મક પગલાનો ઉલ્લેખ
ભારત માટે અલગ નિયમો તાલિબાન કેમ રાખે છે. આ મામલે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે એવું કહ્યું કે અફઘાનિસ્તાનમાં પુનનિર્માણ માટે સકારાત્મક પગલાઓ લેવામાં આવ્યા હોય તે દેશને અમે બિરદાવીએ છે. વધુંમાં તેણે કહ્યું કે જો ભારત અફઘાનિસ્તાનના લોકો સામે કાબુલ પ્રશાસસની મદદ નથી કરી રહ્યા. તો અમારા નિરાધાર પ્રચારમાં તેમની મદદ કરી રહ્યા હોઈ શકે.
ભારત નિષ્પક્ષતા દાખવે તો વાતચીત થશે: તાલિબાન
વધુંમાં તાલિબાનને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે શું ભવિષ્યમાં પિરિસ્થિતી સુધારવા જ્યારે તમે વાતચીત કરશો તો શું ભારતને બોલાવશો. ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે પહેલા ભારતે તેમની નિષ્પક્ષતા સાબિત કરવી જોઈએ. નહી તો તેઓ તાલિબાન સાથે કોઈ વાતચીત નહી શકે.
કાબુલ પ્રશાસનને ભારતે હથિયાર આપ્યા: તાલિબાન
સુહૈલ શાહીને કહ્યું કે ભારત કાબુલ પ્રશાસનને હથિયાર આપીને એક તરફ એમનું સમર્થન પણ કરી રહ્યો છે. અમેરિકા મુદ્દે તેમણે કહ્યું કે અમે તેમની સાથે વાત કરી ત્યારે એ મામલે પહોચ્યા કે આ મુદ્દે કોઈ સૈન્ય સમાધાન નથી. સાથેજ તેણે એવું પણ કહ્યું કે અમે શાતિપૂ્રણ વાતચીત કરીને મહત્વના નિર્ણયો લઈએ છે.
પત્રકાર દાનિશ સિદ્દકી વીશે વાતચીત
સુહૈલ શાહીનને જ્યારે પત્રકાર દાનિશ સિદ્દીકી વીશે વાત કરવામાં આવી હતી. ત્યારે તાલિબાને કહ્યું કે જે સમયે તે ઘટના બની હતી. તે સમયે તેઓ કાબુલની સેના સાથે હતા. સાથેજ તેઓ અમને જણાવ્યા વીશા સેના સાથે જુડાયા હતા. ઉપરાંત તેમણે કહ્યું કે જ્યારે કોઈ પત્રકાર ઘટનાસ્થળ પર આવે ત્યારે તેમણે અમારી સાથે વાતચીત કરવી જોઈએ. અમને જાણ કરવી જોઈએ.
ઘટના સમયે દાનિશ સિદ્દકી કાબુલ પ્રશાસન સાથે
ઉલ્લેખનીય છે કે દાનિશ સિદ્દકીનું મોત થયું તે સમયે કાબુલ પ્રશાસન દ્વારા તાલીબાન પર હુમલો કરવામાં આવ્યો હતો. તેવું તેમનું કહેવું છે. જેથી તેમણે પણ કાબુલ પ્રશાસન પર હુમલો કર્યો. દાનિશ સિદ્દકી તે વખતે તેમની સાથે હતા. જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું.