તાલિબાન આજે જુમ્માની નમાજ બાદ સરકારના ગઠનની ઔપચારિક પ્રક્રિયા પુરી કરી શકે છે.
રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહની તૈયારી થઈ રહી છે
અખુંદઝાદાને દેશના સર્વોચ્ચ નેતા બનાવવામાં આવશે
અખુંદઝાદા કંધારથી કામ કરશે
સૌથી મોટા ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદાને દેશના સર્વોચ્ચ નેતા બનાવવામાં આવશે. તાલિબાને સરકાર ગઠનની યાદી પર જાણે મોહર લગાવી દીધી છે.
અખુંદઝાદા હશે સર્વેસર્વા
નવી સરકારમાં 60 વર્ષીય મુલ્લા હૈબતુલ્લા અખુંદઝાદા તેમના સર્વોચ્ચ નેતા હશે. વરિષ્ઠ નેતા અહમદુલ્લાહ મુત્તકીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહની તૈયારી થઈ રહી છે. અખુંદઝાદા સૌથી મોટા રાજનીતિક અને ધાર્મિક પ્રાધિકારી હશે. તેમનું પદ રાષ્ટ્રપતિથી પણ ઉપર હશે અને તે સેના, સરકાર અને ન્યાય વ્યવસ્થાના પ્રમુખોની નિયુક્તિ કરી શકશે. દેશના રાજનીતિક, ધાર્મિક અને સૈન્ય મામલામાં તેમનો નિર્ણય અંતિમ માનવામાં આવશે.
કંધારથી કામ કરશે અખુંદઝાદા?
અખુંદઝાદા ક્યારેય સામે નથી આવ્યા અને તેમના ઠેકાણા વિશે કોઈને જાણકારી નથી. મનાઈ રહ્યું છે કે નવી સરકારમાં તે કંધારથી કામ કરશે. આ દરમિયાન અપુષ્ટ રિપોર્ટ્સના અનુસાર આગલી સરકારમાં એક પ્રધાનમંત્રીનું પદ હશે. તાલિબાન પહેલા જ વિભિન્ન પ્રાંતો અને જિલ્લા માટે ગવર્નર પોલીસ પ્રમુખ અને પોલીસ કમાન્ડર નિયુક્ત કરી ચૂક્યાછે.
શું છે ઈરાન મોર્ડલ
સૂત્રોએ પહેલા એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તાલિબાની ઈરાન મોર્ડલના આધાર પર સરકાર બનાવી રહ્યા છે. જેમાં એક ઈસ્લામી ગણરાજ્ય હશે જ્યાં સર્વોચ્ચ નેતા રાજ્યનો પ્રમુખ હોય છે. તે સર્વોચ્ચ ધાર્મિક અને રાજનીતિક વ્યક્તિ પણ હશે. ત્યાં સુધી કે આ રાષ્ટ્રપતિથી પણ ઉપર હશે. તેમનો નિર્ણય અંતિમ માનવામાં આવતો હોય છે.
રાષ્ટ્રપતિ અખુંદઝાદાની હસ્તક કામ કરશે
તોલો ન્યૂઝ અનુસાર સમાંગાનીએ કહ્યું મુલ્લા હૈબતુલ્લા અખુંદઝાદા સરકારના સર્વોચ્ચ નેતા હશે અને આના પર કોઈ સવાલ નહીં થવો જોઈએ. તેમણે સંકેત આપ્યા કે રાષ્ટ્રપતિ અખુંદઝાદાની હસ્તક કામ કરશે. અખુંદઝાદા તાલિબાનના સૌથી મોટા ધાર્મિક નેતા છે અને છેલ્લા 15 દિવસથી બલૂચિસ્તાન પ્રાંતના કેટલાક વિસ્તારમાં સ્થિતિ એક મસ્જિદમાં કાર્યરત છે. સમાંગનીએ કહ્યું કે નવી સરકાર અંતર્ગત ગવર્નર પ્રાંતના પ્રમુખ હશે અને જિલ્લા ગવર્નર પોતાના જિલ્લાના પ્રભારી હશે.
દોહામાં વિદેશી દૂતો સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે
સરકારના રુપની જાણકારી આપ્યા વગર સ્તાનિકજઈએ કહ્યું કે નવી સરકારમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. તેમણે એ વાત સ્પષ્ટ નથી કરી કે શું મહિલાઓને મંત્રી પદ જેવા ઉચ્ચ સ્થાનો પર જગ્યા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે જે કોઈ પણ ગત 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં પૂર્વવર્તી સરકારોમાં સામેલ છે તેમને નવા તાલિબાન પ્રશાસનમાં જગ્યા નહીં મળે. તેમણે કહ્યું કે અખુંદઝાદા કંધારથી કામ કરશે. તેમણે કહ્યું કે તાલિબાન યુરોપીય સંઘ, અમેરિકા અને ભારત સાથે મિત્રતાના સંબંધ ઈચ્છે છે અને દોહામાં વિદેશી દૂતો સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે. સ્તાનિકજઈએ કહ્યું કે 48 કલાકમાં હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર પરિચાલન શરુ થઈ જશે અને યોગ્ય દસ્તાવેજોની સાથે આવેલા લોકોને દેશ છોડવાની પરવાનગી આપવામાં આવશે. એરપોર્ટની મરમ્મતમાં અઢીથી 3 કરોડ અમેરિકન ડોલરનો ખર્ચ આવશે.