તાલિબાનોએ ઈમરાન ખાન તરફ ઈશારો કરીણે કહ્યું હતું કે અમને સલાહો આપવાનો કોઈને અધિકાર નથી.
અફઘાનિસ્તાનમાં સરકાર બનાવ્યા બાદ તાલિબાનો ધીમે ધીમે પોતાના બધા જ વાયદા ભૂલી ગયા હોવ તેવો વ્યવહાર કરી રહ્યા છે. હાલમાં જ તેમણે એક વખત ફરી પોતાનો સાચો રંગ બતાવતું કૃત્ય કર્યું હતું.
તાલિબાની પ્રવક્તાએ કહ્યું હતું કે બીજા દેશોનું એવું કહેવું છે કે તાલિબાનોએ સર્વ સમાવેશી સરકાર બનાવવી જોઈએ. આ એક ખોટી વાત છે અને કોઇને આવું કહેવાનો અધિકાર નથી.
ઈમરાન ખાને કહ્યું હતું
થોડા દિવસ અગાઉ જ ઈમરાન ખાને કહ્યું હતું કે ઇસ્લામાબાદ અફઘાનિસ્તાનમા તાલિબાનો સાથે વાતચીત શરૂ કરી રહ્યું છે અને તેઓની સરકાર સમાવેશી સરકાર હોવી જોઈએ. સરકારમાં તેમણે લઘુમતીઓને પણ સામેલ કરવા જોઈએ.
પ્રવક્તાએ શું કહ્યું?
તાલિબાન પ્રવક્તા અને ઉપ સૂચના મંત્રી જબઈહુલ્લા મુજાહિદે કહ્યું હતું કે પાકિસ્તાન અને અન્ય દેશો તાલિબાનોને અપીલ કરે છે કે અફઘાનિસ્તાન બધાને સાથે લઈને ચાલે અને એક સમાવેશી સરકાર બનાવે. પરંતુ પાકિસ્તાન કે અન્ય કોઈ પણ દેશને કોઈ હક નથી કે તે અમને આવી કોઈ વાત કરી શકે.
એક પણ મહિલા કેબિનેટમાં નથી
તાજેતરમાં જ તાલિબાનોએ સરકાર બનાવી હતી જેમાં એક પણ મહિલા પ્રતિનિધિને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ અફઘાનિસ્તાનની મહિલાઓને વિરોધ કરતી જોઈને કહ્યું હતું કે સરકારમાં કોઈ મહિલા સામેલ નથી તો તેઑ મહિલાઓ સાથે સંવેદનશીલતા કેવી રીતે રાખશે? પાકિસ્તાન ટાઈમ્સના કહેવા અનુસાર તાલિબાને જોર આપીને કહ્યું હતું કે તેઓ પોતાની સરકારમાં બધા જ સમુદાયોના લોકોને પ્રતિનિધિત્વ આપશે અને સમાવેશી સરકાર બનાવશે પણ થોડા જ સમયમાં તાલિબાનો પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું.
હવે તો તાલિબાનો આપસમાં જ બાખડ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.
તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદઝાદાનું મોત થયું
બ્રિટનની એક મેગેઝિને દાવો કર્યો છે કે ખુરશીની આ લડાઈમાં તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદઝાદાનું મોત થયું છે અને ઉપ પ્રધાનમંત્રી મુલ્લાહ બરાદરને બંધક બનાવી રાખવામાં આવ્યા છે. સત્તા માટે સંઘર્ષ તાલિબાનના જ બે જૂથોની વચ્ચે થયો હતો. મેગેઝિને એમ પણ જણાવ્યું કે હક્કાની ઘડાની સાથે આ ઝઘડામાં સૌથી વધારે નુકસાન મુલ્લાહ બરાદરને જ પહોંચાડવામાં આવ્યું છે.
બ્રિટનની મેગેઝિનને પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તાલિબાનના બે જૂથોની બેઠક થઈ હતી. આ દરમિયાન એક પ્રસંગ એવો પણ આવ્યો કે જ્યારે હક્કાની નેતા અખીલ- ઉલ રહમાન હક્કીની પોતાની ખુરશીમાંથી ઉઠ્યો અને તેને બરાદરને મુક્કા મારવાનું શરુ કરી દીધુ હતું. બરાદર સતત તાલિબાન સરકારની કેબિનેટમાં બિન તાલિબાનીઓ અને અલ્પ સંખ્યકોને પણ જગ્યા આપવા પર દબાણ બનાવી રહ્યા હતા જેથી દુનિયાના અન્ય દેશ તાલિબાન સરકરાને માન્યતા આપે.