ઝડપથી કાબુલ છોડો નહીં તો.., એરપોર્ટ જતાં રસ્તા પણ કર્યા ખાલી
આશ્ચર્ય જનક વાત...લોહિયાળ જંગ વગર નિયંત્રણ
અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. મઝાર-એ-શરીફ અને જલાલાબાદ બાદ હવે તાલિબાનોએ અફઘાનિસ્તાનના સૌથી મોટા અને મુખ્ય શહેર કાબુલ પર કબજો કરી લીધો છે. તાલિબાન આતંકવાદીઓ દ્વારા કાબુલ પર કબજો એ અફઘાન સરકારની સૌથી મોટી હાર છે. કાબુલ પર કબજો કર્યા બાદ હવે તાલિબાનોએ વિદેશીઓને કાબુલ છોડવાનો આદેશ આપ્યો છે નહિ તો...
વિદેશી નાગરિક કાબુલ છોડે નહી તો રહેવા માટે રજીસ્ટ્રેશન કરાવે
તાલિબાનોએ આગ્રહ કર્યો કે કાબુલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક સુધીના રસ્તાઓ વિદેશીઓને દેશ છોડવા માટે સાફ કરી દેવામાં આવે અને તેની કામગીરી સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે તેની ખાતરી કરી. જેઓ અહીં રહે છે તેઓએ આંદોલનના પ્રતિનિધિઓ સાથે પોતાની નોંધણી કરાવવી જરૂરી રહેશે. જેમ તાલિબાન અફઘાનિસ્તાનને પકડી રહ્યું છે, તેવી જ રીતે તે નાગરિકો પર પણ નવા નિયંત્રણો લાદી રહ્યું છે. અલ-અરેબિયાના નિવેદન અનુસાર, તાલિબાનોએ કાબુલ કબજે કર્યા બાદ વિદેશી નાગરિકોને કાબુલ છોડવાનું કહ્યું છે. , કાબુલમાં રહેવા માંગતા વિદેશીઓએ તાલિબાન ચળવળના પ્રતિનિધિઓ સાથે પોતાની નોંધણી કરાવવી ફરજીઆત છે હાલ વિદેશી નાગરિકો પોતાના દેશ પહોંચી શકે તે માટે એરપોર્ટ માર્ગો ચાલુ રહેશે તેવી જાહેરાત પણ કરી છે.
વિમાનમથકના રસ્તાઓ વિદેશીઓ માટે ખુલ્લા કર્યા
તાલિબાનોએ આગ્રહ કર્યો કે કાબુલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના રસ્તાઓ વિદેશીઓ માટે દેશ છોડવા માટે ખાલી રહે અને તેમની કામગીરી સંપૂર્ણપણે કાર્યરત રહેશે તેની ખાતરી કરી. પરંતુ અહીં રહેવા માટે, તેઓએ આંદોલનના પ્રતિનિધિઓ સાથે પોતાની નોંધણી કરાવવી જરૂરી રહેશે. વિદેશીઓની સાથે તાલિબાનોએ પણ અફઘાન સેનાને સંદેશ જારી કર્યો હતો કે સરકારની સેના પણ તેમના ઘરે પરત ફરી શકે છે.
લોહિયાળ જંગ વગર નિયંત્રણ...
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને કાબુલ કબજે કર્યા બાદ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ હજુ સુધી તેની સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી. અફઘાન મીડિયા અનુસાર અશરફ ગનીની જગ્યાએ હવે અલી અહેમદ જલાલીને વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. આ સમયે અફઘાનિસ્તાનનો મુદ્દો વિશ્વ મંચ પર છવાયેલો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કેવી રીતે તાલિબાન અફઘાનિસ્તાન પર કોઈ પણ મોટા બળવા, કે લોહિયાળ જંગ કે રક્તપાત વગર નિયંત્રણ મેળવી રહ્યું છે