અફઘાનિસ્તાનમાં તાલિબાને તેની ઈસ્લામિક અમીરાત સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાની પ્રવક્તાએ જણાવ્યું કે હસન અખુંદને નવી સરકારમાં કાર્યવાહક પ્રધાનમંત્રી જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને કાર્યવાહક ઉપપ્રધાનમંત્રી બના્વાયા છે. તેમણે કહ્યું કે સરજુદ્દીન હક્કાને કાર્યવાહક આંતરિક મંત્રી નિયુક્ત કરાયા છે.
તાલિબાન કેબિનેટ
મુલ્લા હસન અખુંડ કેબિનેટનું નેતૃત્વ કરશે એટલે કે તેઓ તાલિબાન સરકારમાં વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળશે. અબ્દુલ ગની બદરદર નાયબ વડા પ્રધાન હશે. ખૈરુલ્લા ખૈખવાને માહિતી મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. અબ્દુલ હકીમને ન્યાય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. શેર અબ્બાસ સ્ટેનિક ઝાઈને નાયબ વિદેશમંત્રી બનાવવામાં આવ્યા છે. ઝબીઉલ્લાહ મુજાહિદને માહિતી મંત્રાલયમાંનાયબ પ્રધાનની કમાન સોંપવામાં આવી છે.
કોણ છે હસન અખુંદ?
અહેવાલ મુજબ, હસન અખુંદ અત્યારે તાલિબાનના શક્તિશાળી સંગઠન, રેહબારી શુરા અથવા લીડરશીપ કાઉન્સિલના વડા છે, જે મહત્વપૂર્ણ નિર્ણયો લે છે. તે કંદહારનો રહેવાસી છે જ્યાંથી તાલિબાનનો જન્મ થયો હતો. તે તાલિબાનના સ્થાપકોમાંથી એક હોવાનું પણ કહેવાય છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે પાકિસ્તાન ખુલ્લામાં આવી ગયું છે. પાકિસ્તાન આઈએસઆઈના વડા હમીદ ફૈઝે પણ કાબુલની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત વાસ્તવમાં હક્કાની નેટવર્કનો સંપર્ક કરવા માટે હતી જેથી તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ અફઘાન સેનાની ફરીથી રચના કરી શકાય. આ ઉપરાંત હમીદ મુલ્લા બારાદારને પણ મળ્યો હતો.
તાલિબાને પંજશીર પર કબજો કર્યો
તાલિબાનના બળવાખોરોના છેલ્લા ગઢ એવા પંજશીર પર કબજાના દાવા બાદ હવે સમગ્ર અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા નિયંત્રિત છે. તાલિબાને કહ્યું કે ટૂંક સમયમાં નવી સરકાર રચાશે. વહેલી સવારે તાલિબાનોએ પંજીશરમાં પ્રાંતીય ગવર્નર હાઉસ પર તાલિબાનનો ધ્વજ ફરકાવવાનો વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે સમગ્ર પંજીશિર કબજે કર્યું છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાનના નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (NRFA) ના વડા અહમદ મસૂદ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પડોશી તાજિકિસ્તાન ભાગી ગયા છે. મસૂદે પોતાના ટ્વિટર સંદેશમાં કહ્યું છે કે તે સુરક્ષિત છે, પરંતુ અન્ય કોઈ વિગતો આપી નથી. મસૂદે કહ્યું કે તાલિબાનનો વિજયનો દાવો ખોટો છે અને અમારું યુદ્ધ ચાલુ છે. તેમણે લોકોને અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે બળવો કરવાની અપીલ કરી.
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનોને પાકિસ્તાનની એરફોર્સ અને ડ્રોનથી પંજશીર પર અંકુશ મેળવવામાં ઘણી મદદ મળી. તાલિબાન લડવૈયાઓએ રાતોરાત પંજશીરના આઠ જિલ્લાઓ કબજે કર્યા. ઉલ્લેખનીય છે કે શનિવારે જ ISI ચીફ ફૈઝ હમીદ કાબુલ પહોંચ્યો અને તાલિબાન સાથે ઓપરેશનમાં સામેલ થયો. રવિવારે ભારે બોમ્બ ધડાકા બાદ આખરે તાજબાન દ્વારા પંજશીર પર કબજો કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાલેહ હવાઈ હુમલા બાદ તાજિકિસ્તાન ભાગી ગયા હોવાનું કહેવાય છે.