તાલિબાને કહ્યું છે કે તે આંશિક સંઘર્ષ વિરામ ખતમ કરવાની સાથે જ અફઘાન સુરક્ષા દળોની વિરુદ્ધ આક્રમક અભિયાન ફરીથી શરૂ કરવા જઇ રહ્યું છે. આ આંશિક સંઘર્ષ વિરામની જાહેરાત ચરમપંથીઓ અને વોશિંગ્ટનની વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર થવાની પહેલા કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનમાં તાલિબાને આંશિક સંઘર્ષ વિરામ ખતમ કરવાનું કર્યું એલાન
તાલિબાને કહ્યું, વિદેશી સુરક્ષા દળો પર નહીં કરીએ હુમલો
જોકે, જે પ્રકારે તાલિબાને આંશિક સંઘર્ષ વિરામ ખતમ કરવાની વાત કહી છે તેનાથી સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું અફઘાનિસ્તાનમાં શાંતિ સમજુતીને ઝટકો લાગી શકે છે?
તાલિબાને આંશિક સંઘર્ષ વિરામ ખતમ કર્યું
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું, હિંસામાં ઘટાડો...હવે ખતમ થઇ ગયો છે અને અમારુ અભિયાન સામાન્ય રૂપે જારી રહેશે. તેઓએ કહ્યું કે અમેરિકા અને તાલિબાનની વચ્ચે થેયલી સમજુતી મુજબ, અમારા મુજાહિદ્દીન વિદેશી દળો પર હુમલો નહીં કરે પરંતુ કાબુલના તંત્ર વાળી આર્મી વિરુદ્ધ અમારુ અભિયાન જારી રહેશે.
અફઘાન આર્મી વિરુદ્ધ તાલિબાન શરૂ કરશે અભિયાન
ગત શનિવારે અફઘાન તાલિબાન અને અમેરિકાની વચ્ચે કતારના દોહામાં સમજુતી પર હસ્તાક્ષર થયા. તેના હેઠળ એમ નક્કી થયું છે કે વિદેશી આર્મી ચરણબદ્ધ રીતે આવનારા 14 મહીનામાં અફઘાનિસ્તાન છોડી દેશે. બદલામાં તાલિબાન અફઘાન ધરતીનો ઉપયોગ કોઇપણ આતંકી ગતિવિધિઓમાં નહીં થવા દે.
સાથે જ તાલિબાનના સહયોગથી અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનોમાં નવી ભરતીઓ અને તેમના માટે ફંડ એકત્ર કરવા પર લગામ લગાવવામાં આવશે.