અફઘાનિસ્તાનની સત્તાને કબ્જે કરી લેતાની સાથે તાલિબાને કાશ્મીરના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
ભારતની સુરક્ષા માટે સંકટ પેદા થઈ ગયું છે કેમ કે...
કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે- તાલિબાન
નબળા તાલિબાનોને પ્રભાવિત કરી શકે છે ISI
તાલિબાને કહ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે. આ આંતરિક મુદ્દો છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર તાલિબાને કહ્યું તે તેમનું ધ્યાન કશ્મીર પર નથી. બીજી તરફ સુરક્ષા એજન્સીએ કહ્યું કે કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવશે. જો કે સ્થિતિ નિયંત્રણમાં છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સમૂહોની પાસે હાજર સ્થિતિમાં પોતાના પક્ષમાં લાભ ઉઠાવવાની ક્ષમતા બહું ઓછી છે. તાલિબાન રવિવારે કાબૂલમાં ઘૂસ્યા અને અફઘાનિસ્તાન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું. એટલું જ નહીં રાષ્ટ્રપતિ અશરફ ગની દેશમાંથી ભાગી ગયા.
ભારતની સુરક્ષા માટે સંકટ પેદા થઈ ગયું છે કેમ કે...
બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે હાલની સ્થિતિમાં ભારતની સુરક્ષા માટે સંકટ પેદા થઈ ગયું છે કેમ કે લશ્કર-એ-તૈયબા અને લશ્કર-એ- ઝાંગવી જેવા પાકિસ્તાની આતંકવાદી ગ્રુપોની અફઘાનિસ્તાનમાં હાજરી છે. ANI અનુસાર તેમણે તાલિબાનની સાથે કેટલાક ગામો અને કાબૂલના કેટલાક ભાગોમાં ચેક પોસ્ટ બનાવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષાને લઈને ચિંતા એટલા માટે પણ છે કે અફઘાનિસ્તાન ઈસ્લામિક આતંકવાદનું પહેલું કેન્દ્ર બની શકે છે. એક અધિકારીએ કહ્યું કે તેમની પાસે તે તમામ હથિયારો સુધી પહોંચ છે જે અમેરિકનોએ આપ્યા છે અને ત્રણ લાખથી વધારે અફઘાની સેનાના જવાનોના હથિયારો પણ છે.
નબળા તાલિબાનોને પ્રભાવિત કરી શકે છે ISI
હાલની સ્થિતિના જાણકારોનું માનવું છે કે પાકિસ્તાનની ખાનગી એજન્સી ISI તાલિબાનને પોતાના અસરમાં લેવાનો પ્રયાસ કરશે. પરંતુ તેની અસર ઓછી રહેશે. એક અધિકારીનું કહેવું છે કે આની બહું ઓછી અસર રહેશે. કેમ કે તાલિબાને તાકાત સાથે સત્તા મેળવી છે. ISI ફક્ત નબળા તાલિબાનીને પ્રભાવિત કરી શકે છે. હાલની સ્થિતિમાં તાલિબાનીને પ્રભાવિત કરવાની ક્ષમતા ઓછી રહી છે. અધિકારીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની સંગઠનોના કેંપ છે અને ભારતે જમ્મુ કાશ્મીરમાં સાવધન રહેવાની જરુર છે.