અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં સોમવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 5 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
કાબુલ વિસ્ફોટમાં 50થી વધુ લોકો ઘાયલ
તાલિબાને કાબુલ હુમલાની જવાબદારી સ્વીકારી
જો કે પ્રાથમિક મળતી માહિતી મુજબ ફાયરિંગના અવાજ બાદ બ્લાસ્ટ થયો. આ હુમલો એવી જગ્યા પર થયો જ્યાં ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંગઠનોના કાર્યાલય આવેલા છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીને જણાવ્યા મુજબ આ વિસ્ફોટ ગ્રીન વિલેજ પાસે થયો છે. જો કે આ વિસ્ફોટ બાદ આ વિસ્તારની ઘેરાબંધ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનના કાબુલમાં જે જગ્યા પર વિસ્ફોટ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે તે વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના કાર્યાલય આવ્યા છે. આ હુમલાની જવાબદારી તાલિબાને સ્વીકારી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ અફઘાનિસ્તાનમાં સેનાએ તાલિબાન આતંકીઓ વિરુધ્ધ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં અફઘાનિસ્તાની સેનાએ તાલિબાનના પ્રમુખ સહિત 35 આતંકીઓને ઠાર માર્યા હતા.
જ્યારે આ અગાઉ સ્વતંત્રતા દિવસ પર અફઘાનિસ્તાનના જલાલાબાદમાં થયેલા આતંકી હુમલામાં 66 લોકો ઘાયલ થયા હતા. આ આતંકી હુમલા પછી અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી રદ્દ કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સચિવાલયે રાષ્ટ્રપતિ મહોમ્મદ અશરફ ગનીનના નિર્દેશ પર અફઘાનિસ્તાનના સ્વતંત્ર સમારોહની ઉજવણી રદ્દ કરી હતી.