ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 997.58 મિલિયનની આયાત-નિકાસ થાય છે. જેમાં મોટા ભાગના ગુજરાતી વેપારીઓ અફઘાન સાથે વેપાર કરે છે હવે તાલિબાનોએ ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
તાલિબાનોએ આયાત નિર્યાત બંને રોકી દીધા
ભારતીય ઇન્વેસ્ટમેન્ટ્સને પણ મોટું નુકસાન જાય તેવી સંભાવના
400 જેટલી યોજનાઓમાં 3 બિલિયન ડોલર જેટલુ રોકાણ
ભારતથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર પ્રતિબંધ
અફઘાનિસ્તાન પર તાલિબાની કબજા બાદ હવે તાલિબાનોની નવી નીતિનાં કારણે ભારતને નુકસાન થઈ શકે છે. અફઘાનિસ્તાન સાથે ભારતનો મોટો વ્યાપારી સંબંધ રહેલો છે જે હવેથી બંધ થઈ જવાની સંભાવના છે. તાલિબાનોએ ભારતથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તાલિબાનોનાં આ પગલાંથી ભારતીય વ્યાપાર જગતમાં ચિંતાનો માહોલ છે. ભારત અને અફઘાનિસ્તાન ઘણા વર્ષોથી સારા સંબંધો ધરાવે છે અને વ્યાપર કરે છે. પણ હવે તેને મોટું નુકસાન જાય તેવી સંભાવના વધી છે.
હવે તાલિબાનોએ આયાત નિર્યાત બંને રોકી દીધા બાદ ભારતીય ઇન્વેસ્ટમેન્ટ્સને પણ મોટું નુકસાન જાય તેવી સંભાવના છે.
2021 માં 835 મિલિયન ડોલર એક્સપોર્ટ
ફેડરેશન ઓફ એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડો. અજય સહાય આઅ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવામાં આવ્યું છે અને 400 જેટલી યોજનાઓમાં 3 બિલિયન ડોલર જેટલુ રોકાણ થઈ ચૂક્યું છે. 2021માં જ આપણે 835 મિલિયન ડોલરનું એક્સપોર્ટ અને 510 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું.
અફઘાનિસ્તાન સાથેનો બેંક વ્યવહાર બંધ હોવાથી ભારતનું કરોડો રૂપિયાનું રોકાણ ફસાયું છે. અને વેપારીઓ તાલિબાનોના ડરથી ખોટું બોલી રહ્યા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 997.58 મિલિયનની આયાત-નિકાસ થાય છે. જેમાં ભારત દ્વારા 529.84 મિલિયન જેટલી આયાત અફઘાનિસ્તાન પાસેથી થાય છે જે હાલ સાવ બંધ થઈ છે જેની ભારતના માર્કેટ પર મોટી અસર પડે તેમ છે. જેથી ગુજરાતના મોટા વેપારીઓ સીધા જ અફઘાનના વેપારીઓ સાથે વેપાર કરે છે. જે કારણથી ગુજરાતના વેપારીઓને ચિંતા સાંપડી છે. સાથે બેક વ્યવહાર બંધ થવાથી કરોડો રૂપિયા સલવાઈ જતાં વેપારી રોજ અફઘાન વેપારીને ફોન કરી રહ્યા છે.
આ વસ્તુના ભાવ આસમાન આંબશે
અફઘાનિસ્તાનથી બદામ, ડ્રાયફ્રૂટ્સ, હિંગ, કાળી દ્રાક્ષ ભારત સહિત ગુજરાતમાં મોટા પાયે આવે છે. જે તાલિબાન રાજ આવતા તમામ વસ્તુઓની આયાત અટકી પડી છે. હાલ ગુજરાતના વેપારીઓ સતત વીડિયો કોન્ફરન્સથી અફઘાનિસ્તાન વેપારીઓના સંપર્કમાં છે. ત્યારે અફઘાનિસ્તાનના વેપારીએ કહ્યું કે જનજીવન સામાન્ય બનતા વધુ સમય લાગી શકે છે. અફઘાન વેપારી પાસેથી મળેલા આ જવાબથી ગુજરાતના વેપારીના શ્વાસ અધ્ધર થયા છે. બદામ, ડ્રાયફ્રૂટ્સ, હિંગ, કાળી દ્રાક્ષ ભાવો નજીકના ભવિષ્યમાં આસમાન આબશે તેવી ભીતિ સેવાઇ રહી છે. અફઘાનિસ્તાનમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થાય તેવી ગુજરાતના વેપારીઓ ઈચ્છા વ્યકત કરી રહ્યા છે.