અફઘાનિસ્તાનમાં તાલિબાને કાબુલ સ્થિત ગુરુદ્વારા પર હુમલો કરીને તેનો અસલી રંગ દેખાડ્યો છે. સાથેજ તેમણે ગુરુદ્વારાની અંદર રહેલા શ્રદ્ધાળુંઓને પણ બંધક બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનની કાળી કરતૂત
કાબુલમાં આવેલ ગુરુદ્વારા પર કર્યો હુમલો
ગુરુદ્વારામાં અંદર શ્રદ્ધાળુઓને બંધક બનાવ્યા
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો મેળવ્યા બાદ હવે તાલિબાને તેની કરતૂત વિશ્વને દેખાડી છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કારણકે તાલિબાને કાબુલ સ્થિત પરવન ગુરુદ્વારા પર હુમલો કર્યો છે. સાથેજ તાલિબાને ત્યા ઘણા ખરા લોકોને બંધક પણ બનાવ્યા છે.
અંદર રહેલા શ્રદ્ધાળુઓને બંધક બનાવ્યા
આપને જણાવી દઈએ કે કાબુલનું પરવન ગુરુદ્વારા એજ ધાર્મિક સ્થળ છે. જ્યા શિખેોના ગુરુ નાનક દેવ આવ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર તાલિબાનો હથિયારો સાથે ગુરુદ્વારામાં ઘુસ્યા હતા જ્યા તેમણે પહેલા હુમલો કર્યો બાદમાં તેમણે ગુરુદ્વારાની અંદર રહેલા લોકોને બંદક બનાવી દીધા છે.
સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા
સ્થાનિકોના કહેવા પ્રમાણે તાલિબાને ગુરુદ્વારામાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે. તે સિવાય તેમણે ગુરુદ્વારામાં તોડફોડ પણ કરી છે. આ હુમલાની જાણ થયા બાદ સ્થાનીક ગુરુદ્વારા પ્રબંધક પણ સ્થળ પર પહોચ્યા હતા. જ્યા તેમણે જોયું કે ગુરુદ્વારામાં તાલીબાને તોડફોડ કરી હતી. સાથેજ તેમણે અમુક લોકોને બંધક પણ બનાવ્યા હતા.
ગુરુ નાનક આજ ગુરુદ્વારામાં આવ્યા હતા
કરતા પરવન ગુરુદ્વારા અફઘાનિસ્તાનના ઉત્તર-પશ્ચિન કાબુલમાં આવેલું છે. અગાઉ પણ તાલિબાને અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત સ્થિત ગુરુદ્વારાની છચ પરથી સાહિબ-સિખનો પવિત્ર ધ્વજ હટાવી દીધો હતો. આ એજ ગુરુદ્વારા જે શીખોના ગુરુ નાનક દેવ એક વખત યાત્રાએ આવ્યા હતા.
તાલિબાનનો આતંકથી શીખોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. જે હવે એક ચિંતાનો વિષય બન્યો છે. આજે તાલિબાનોએ કાબુલમાં આવેલ ગુરુદ્વારા પર પણ હુમલો કર્યો જેના કારણે હવે અહીયાના શીખોમાં ભયનો માહોલ ફેલાયેલો છે.