અફઘાનિસ્તાનમાં શાંતિવાર્તા વચ્ચે તાલિબાની હુમલાઓ સતત વધી રહ્યા છે. અમેરિકાના પહેલ પર અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાનીઓ વચ્ચે શાંતિવાર્તા તો ચાલી રહી છે. પરંતુ આ શાંતિવાર્તા વચ્ચે પણ તાલિબાનીઓનો હુમલો સતત વધી રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં શાંતિવાર્તા સાથે વધ્યા તાલિબાની હુમલા
અફઘાન સરકાર અને તાલિબાનીઓ વચ્ચે ચાલી રહી છે શાંતિવાર્તા
''શાંતિવાર્તા સાથે તાલિબાનીઓ હુમલા કરી રહ્યા છે''
''શાંતિવાર્તાથી તાલિબાની હુમલા ઓછા થવાની આશા હતી'
અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે શાંતિવાર્તા શરૂ થવાની સાથે અમે આશા રાખતા હતા કે તાલિબાન પોતાના આતંકી હુમલાઓ ઓછા કરશે. પરંતુ તેવું નથી થયું. જ્યારે કતરમાં શાંતિવાર્તા થઇ રહી હતી. ત્યારે અફઘાનિસ્તાન સરકારના સુરક્ષાબળ અને પ્રતિષ્ઠાનો પર 18 હુમલા કરવામાં આવ્યા.
આ શાંતિવાર્તામાં ભારત સહિત અનેક દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો અને તાલિબાનને સંઘર્ષ વિરામની જાહેરાત કરવા કહ્યું. જેથી અફઘાનિસ્તાન અને તાલિબાનમાં સમજૂતિ થાય. જો કે વાતચીતમાં તાલિબાને સંઘર્ષ વિરામ વિશે કંઇ કહ્યું નહીં. અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે સંઘર્ષવિરામ ભારત માટે પણ મહત્વનું છે
ત્યારે અફઘાનિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું કે અફઘાનિસ્તાન પ્રત્યે ભારતની એકજૂટતા અને પ્રતિબદ્ધતા માટે અફઘાનિસ્તાન સરકાર હંમેશા ભારત પ્રત્યે આભારી રહેશે. અફઘાનિસ્તાનમાં 1700 જેટલા ભારતીયો છે જે બેંકિંગ, સુરક્ષા અને આઇટી સેક્ટરની કંપનીઓમાં ઉપરાંત હોસ્પિટલમાં કામ કરે છે. અને ભારતે અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં રોકાણ પણ કર્યું છે. માટે ભારત માટે પણ અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચેની શાંતિવાર્તા મહત્વની છે.