તાલિબાની સતત સુરક્ષાનું આશ્વાસન આપી રહ્યા છે પણ તેમનો ઈતિહાસ તેમના પર લોકોને ભરોસો કરવા નથી દઈ રહ્યો. જાણો કેમ લોકો ડરેલા છે.
તાલિબાને અફઘાનિસ્તાનમાં સામાન્ય માફીનું એલાન કર્યું
તાલિબાન મહિલાઓને કાર્યસ્થળ પર લાવવા મજબૂર છે કેમ કે...
દેશ છોડવાનો સિલસિલો ચાલુ છે કેમ કે...
અફઘાનિસ્તાનમાં તાલિબાન નવી સત્તા સંભાળવા જઈ રહ્યા છે. તેઓ સતત આશ્વાસન આપી રહ્યા છે કે તાલિબાન લોકોની સુરક્ષા કરવા કટિબદ્ધ છે. અમે કોઈની પણ સાથે બદલાની ભાવનાની કામ નહીં કરીએ.તાલિબાની પ્રવક્તાએ પડોશી દેશોને એવી પણ ખાતરી આપી કે આતંકવાદ માટે અમારા દેશનો કદી પણ ઉપયોગ નહીં કરવા દીએ. અમને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમૂદાય અમને માન્યતા આપશે. વીતેલા સમયમાં અમે જેની પણ સાથે યુદ્ધ કર્યું તેને અમે માફ કરી દીધા છે. જો કે તાલિબાનનો ઈતિહાસ જોતા તેમના પર ભરોસો નથી બેસી રહ્યો. એજ કારણ છે કે દેશ છોડવાનો સિલસિલો ચાલુ છે. લોકોમાં ભયનો માહોલ છે અને અરાજકતાનો માહોલ છે.
આ દરમિયાન અફઘાનિસ્તાનના લોકોના નીકળવાનો સિલસિલો જારી છે. અમેરિકન સેનાએ અત્યાર સુધી 3200 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. તમામ બીજા દેશો પણ પોતાના નાગરિકોને કાઢી રહ્યા છે.
તાલિબાનનું એલાન
એક દિવસ પહેલા કાબૂલ હવાઈ મથક પર અરાજક્તાની વચ્ચે લોકોને તેમના શાસનથી ગભરાઈ દેશ છોડતા જોઈ તાલિબાને મંગળવારે મોટી જાહેરાત કરી કે તેમણે અફઘાનિસ્તાનમાં સામાન્ય માફીનું એલાન કર્યું અને મહિલાઓને પોતાની સરકારમાં સામેલ કરવાનો આગ્રહ કર્યો. તેમણે સરકારી કર્મચારીઓને પાછા કામ પર આવવાનો આગ્રહ કર્યો છે.
તાલિબાન મહિલાઓને કાર્યસ્થળ પર લાવવા મજબૂર છે કેમ કે...
તાલિબાને પાછલા શાસન દરમિયાન મહિલાઓ પર અનેક અત્યાચાર કર્યા અને તે મહિલાઓના કામ પર જવાના સખત વિરોધી રહ્યા. પરંતુ આ વખતે તેઓ મહિલાઓને કાર્યસ્થળ પર લાવવા મજબૂર છે કેમ કે તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની તસવીર બદલી ચીન, અમેરિકા અને અન્ય દેશોનું સમર્થન મેળવવું છે. યૂએનએસસીએ તાલિબાન પાસે મહિલાઓની પૂર્ણ ભાગીદારીની અપીલ કરી છે.
કાબૂલમાં શાંતિ પરંતુ લોકો ભયમાં
કાબૂલમાં મંગળવારે શાંતિ જોવા મળી. જો કે અનેક નિવાસી ઘર પર છુપાયેલા છે અને વિદ્રોહિયોના કબ્જા બાદ જેલોને પણ ખાલી કરાવવા શસ્ત્રગાર લૂંટી લીધા બાદ તે ડરેલા છે. જૂની પેઢી પોતાના સમયના કટ્ટર ઈસ્લામી શાસને યાદ કરે છે જે 11 સપ્ટેમ્બર 2001એ અમેરિકા પર હુમલા પહેલા અફઘાનિસ્તાનમાં હતુ. તે સમયે તાલિબાનના કટ્ટર આદેશ ન માનનારા સાર્વજનિક રુપથી પત્થરથી મારવા (સંગેસાર) અથવા માથુ વાઢવું એક સામાન્ય પ્રક્રિયા હતી. આજ કારણો સર અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તા કબ્જાથી ભાગવા માંગે છે.
અમરુલ્લાહ સાલેહએ પોતાને સંરક્ષક રાષ્ટ્રપતિ જાહેર કર્યા
બીજી તરફ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને સંરક્ષક રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. સાલેહ ટ્વીટ કરી કહ્યું છે કે તેઓ પોતાના માટે સમર્થન ભેગુ કરી રહ્યા છે. સાલેહે ટ્વીટ પર લખ્યું કે, ‘સ્પષ્ટતઃ અફઘાનિસ્તાનના સંવિધાન મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં દેશ છોડીને ભાગવા, રાજીનામુ અથવા મોત બાદ ઉપરાષ્ટ્રપતિ, કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જાય છે. હું વર્તમાનમાં પોતાના દેશમાં છું અને હું કાયદાકીય રીતે કેર ટેકર રાષ્ટ્રપતિ છું. હું તમામ નેતાઓને તેમના સમર્થન અને સામાન્ય સહમતિ માટે સંપર્ક કરી રહ્યો છું.’