હવે 5 લાખ રૂપિયા સુધીનું આવકનું પ્રમાણપત્ર ગામના તલાટી કમ-મંત્રીને કાઢી આપવાની સત્તા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. જેના માટે અરજદારે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ સાથે જ તમામ પુરાવાઓ અરજી સાથે જોડવા પડશે.
આવકના પ્રમાણપત્ર માટે નહીં ખાવા પડે ધક્કા
તલાટી-કમ-મંત્રી રૂ. 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર આપી શકશે
રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય
નોંધનીય છે કે, નિયત તમામ પુરાવાઓ રજુ કરનાર અરજદારની અરજીનો એક દિવસમાં નિકાલ કરવામાં આવશે. આ સાથે જ સ્થાનિક તલાટી-કમ-મંત્રી દ્વારા આપવામાં આવેલ આવકના પ્રમાણપત્રની માન્યતા કાઢી આપ્યાની એક વર્ષ સુધીની રહેશે.
આવકના પ્રમાણ પત્ર માટે તાલુકા કચેરીએ નહીં ખાવા પડે ધક્કા
આપને જણાવી દઇએ કે, તલાટી કમ-મંત્રી જે ગામમાં ફરજ બજાવતા હશે તે ગામના લોકોને જ આવકનું પ્રમાણપત્ર આપી શકશે. આ માટે અરજદારે નિયત ફી પણ ચુકવવાની રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયને પગલે ગ્રામજનોએ હવે તાલુકા કચેરીએ પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા નહીં પડે.