રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે તલાટીની પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરી છે, 30મી એપ્રિલે યોજાનારી તલાટીની પરીક્ષા હવે 7મી મે એ લેવાશે
તલાટીની પરીક્ષાને લઇને મહત્વના સમાચાર
30મી એપ્રિલે યોજાનારી તલાટીની પરીક્ષા હવે 7મી મે એ લેવાશે
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની મહત્વની જાહેરાત
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તલાટીની પરીક્ષાની તારીખને લઈ મહત્વની જાહેરાત કરી છે. તલાટીની પરીક્ષાની તારીખ પાછી ઠેલાઇ છે, આગામી 30 એપ્રિલેનાં રોજ પરીક્ષા લેવાની હતી જે હવે 7મી મેના રોજ લેવાશે. તલાટીની પરિક્ષાની તારીખમા ફેરફાર કરવામાં આવ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 12, 2023
જુનિયર ક્લાર્કની પરીક્ષા 391736 પરીક્ષા આપી એટલે ફોર્મ ભરાયા હતા જેમાંથી 41 ટકા ઉમેદવાર પરીક્ષા આપી એટલે કે, 59 ટકા ઉમેદવારો પરીક્ષા આપી ન હતી જે જોતા તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગશે તેઓને કનફેમશન આપવું પડશે.
ઋષિકેશભાઈ પટેલનું નિવેદન
મંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ એક સ્ટેજ પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણા સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહી તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહી, એમ મંત્રીએ ઉમેર્યું હતું.
અંદાજે 17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા તા.30-04-2023ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા.30-04-2023ના બદલે આગામી તા.07-05-2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે 17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે.
7મી મેના રોજ પરીક્ષા યોજાશે
શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતુ કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. જે બાદ આજે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે તારીખ જાહેર કરતા જણાવ્યું કે, 7મી મેના રોજ પરીક્ષા યોજાશે
જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે
7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે, સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે