સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસ દ્વારા કેટલાક આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે વધુ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં સુરત મહાનગરપાલિકાના બે અધિકારી, એક બિલ્ડર અને એક DVGCLના એક અધિકારી ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર રવિન્દ્ર કહારની ધરપકડ કરવામાં આવી છે. તો SMCના અધિકારી પી.ડી મુનસી અને SMCના ઇજનેર જયેશ સોલંકી ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત DGVCLના નાયબ ઇજનેર દિપક નાયકની ધરપકડ કરવામાં આવી છે. જેણે ટ્યુશન ક્લાસીસમા ગેરકાયદેસર વીજ કનેક્શન આપ્યુ હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે બિલ્ડીંગમાં એસી છે જેની પરવાનગી લેવામાં આવી ન હતી. પ્લાન વિરુદ્ધ બાંધકામ હોવા છતાં સર્ટિફિકેટ ઓફ રેગ્યુલઈઝેશન ઇશ્યુ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરતમાં અગ્નિકાંડ મામલે મૃતક 22 વિદ્યાર્થીઓના પરિવારજનો સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે રજૂઆત કરી હતી કે જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર એમ.કે.દાસ દ્વારા ગેરકાયદે બાંધકામ ન થવા દિધુ હોત તો આ ઘટના બની ના હોત.
વાલીઓનો આક્ષેપ છે કે હજુ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. માત્ર આશ્વાસન મળ્યું છે. ઘટના અંગે તટસ્થ તપાસ થાય તેવી વાલીઓ દ્વારા માંગ કરી છે. ઘટનામાં ફાયર વિભાગ, બિલ્ડર, ડિજીવીસીએલ સહિતના જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીની માંગણી કરી હતી.