સુરતમા તક્ષશિલામાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન લાગી હતી. ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. જોકે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આ આગના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગમાં અનેક વિદ્યાર્થીઓ હોમાઈ ગયાની કમનસીબ ઘટનાની યાદો હજુ તાજી છે ત્યાં ટૂંકા ગાળામાં જ ફરીવાર આ જ જગ્યા પર આગની ઘટના સામે આવી છે. જેમાં કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. જોકે ફાયર વિભાગે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
સુરતમાં તક્ષશિલામાં ફરી આગ લાગી
કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન આગ લાગી
ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે, આગ પર કાબુ મેળવ્યો
થોડા મહિના અગાઉ લાગેલી આગે 22 માસુમોના લીધા હતા ભોગ
આ પહેલા સુરત અગ્નિકાંડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફ્લેક્સ બેનરના કારણે આગ ચોથા માળ સુધી પહોંચી ગઇ હતી. જોતજોતામા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 22 માસુમોએ પોતાનો જીવ ગુમાવવા પડ્યા જ્યારે અન્ય 15 લોકોને ઇજા થઇ હતી. ત્યારે આગ વધારે ફેલાવાનું કારણ એ હતું કે, ક્લાસિસમાં બેસવાની વ્યવસ્થા માટે ટાયર્સ રાખવામાં આવ્યા હતા. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બિલ્ડિંગનાં ચોથા માળ પર ડોમ બનાવવામાં આવ્યા હતા જે ગેરકાયદેસર હતા. આ ઉપરાંત ક્લાસિસમાં ત્રીજા અને ચોથા માળે પહોંચવા લાકડાની એક જ સીડી હતી. આરસીસીની જે સીડી હતી કે ગુનાહિત રીતે બંધ કરી દેવામાં આવી હતી. ઘોર ઉપેક્ષાભરી અને આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે, ત્રીજા માળ પર જે ડોમ બનાવ્યુ હતું ત્યાં કોઈ વેન્ટિલેશન જ નહોતું, જેથી ધુમાડાને બહાર નીકળવાની કોઈ જગ્યા ન મળી. એટલું જ નહીં ઇમારત સ્ટ્રક્ચરમાં માત્ર ત્રણ ફ્લોર જ દર્શાવ્યા હતા બીજુ બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું હતું.
ત્યારે ફરી આ બિલ્ડિંગમાં કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન આગ લાગી હતી. જેને લઇને 8 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.