અધિક માત્રામાં દાળનું સેવન કરવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે. તો આવો જાણીએ કે અધિક માત્રામાં દાળનું સેવન કરવાથી તમને ક્યા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
પ્રોટીનથી ભરપૂર દાળ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો દાળ વિટામિન, મિનરલ્સ તથા ફાઈબરથી ભરપૂર હોય છે, જે બોડીમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવા સિવાય વિષયુક્ત તત્વોને બહાર કાઢે છે, જેથી હૃદય સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘણો ઓછો થઇ જાય છે. પરંતુ અધિક માત્રામાં દાળનું સેવન કરવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે. તો આવો જાણીએ કે અધિક માત્રામાં દાળનું સેવન કરવાથી તમને ક્યા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
અધિક દાળ લેવાના નુકસાન કિડની
અધિક માત્રમાં દાળનું સેવન કરવાથી તેની સીધી અસર કિડની પર પડી શકે છે. જેથી કિડનીમાં સ્ટોનની સમસ્યા થઇ શકે છે. એટલા માટે, સીમિત માત્રામાં જ દાળનું સેવન કરો.
પેટ સંબંધી તકલીફો
અધિક માત્રામાં દાળનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે, જેવી કે ગેસની તકલીફ, એસીડીટી પણ થઇ શકે છે.
વજન વધવું
અધિક માત્રામાં દાળ લેવાથી શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધી જાય છે, જેથી ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ થઇ શકે છે.
અપચો
દાળનું અધિક માત્રામાં સેવન આતરડા સાથે જોડાયેલ સમસ્યાઓ જેવી કે અપચો, ડિહાઈડ્રેશન, થાક, જીવ મચલવો, ચીડચીડીયાપણું, માથાનો દુખાવો જેવી તકલીફો થઇ શકે છે.
ગાઉટની બીમારી
જો તમે ગાઉટની બીમારીથી પીડિત છો તો દાળનું સેવન ન કરવું જોઈએ. આવું એટલા માટે કેમકે દાળમાં પ્યૂરીનની માત્રા અધિક હોય છે જે શરીર માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.