ડાયાબિટીસ સામે લડવા સૌથી પહેલા લોકોને તેના અંગે જાણકારી હોય તે જરૂરી છે, પરંતુ ૪૭.૫ ટકા લોકોને પોતાની બીમારી અંગે જાણ હોતી નથી. આ કારણે તેમને સારવાર મળી શકતી નથી. પરંતુ જો તમને ખબર છે કે તમને ડાયાબિટીસ છે તો આટલી બાબતોનું જરૂરથી ધ્યાન રાખો.
શરીરમાં ઇંસુલિન ન બને અથવા શરીર દ્વારા તેનો ઉપયોગ ન કરી શકાય તે અવસ્થાને ડાયાબિટીસ કહે છે. તેની બે અવસ્થા હોય છે. ટાઇપ-1 અને ટાઇપ-2. આયુર્વેદમાં ઘણા નુસખા જણાવાયા છે જેનાથી બ્લડ શુગરના વધતા સ્તરને નિયંત્રિત કરી શકાય છે. વધારે ભુખ કે તરસ લાગે, વારંવાર યુરિન માટે જવું પડે. મોં સુકાઇ જાય. કોઇ કારણ વગર વજન ઘટે. થાક લાગે કે નજર ધુંધળી થાય આ બધા ડાયાબિટીસના લક્ષણ હોઇ શકે છે.
આયુર્વેદના સિધ્ધાંત મુજબ સવારે વહેલા પાંચ વાગે ઉઠવું જોઇએ. ઉઠીને તરત 2થી3 ગ્લાસ હુંફાળુ પાણી પીવું જોઇએ. આમ કરવાથી આંતરડાની સફાઇ થાય છે અને યુરિક એસિડ સહિત ઝેરીલા તત્વો શરીરમાંથી બહાર નીકળે છે. ત્રીસ મિનિટ બ્રિસ્ક વોક કરો. આ દરમિયાન પરસેવો નીકળતા રોગ દુર થશે.
સવારે 8-9 વાગે હેલ્ધી નાસ્તો કરો. તેમાં અંકુરિત અનાજ, કોર્ન ફ્લેક્સ કે દુધ લઇ શકો છો. બપોરે 12થી 1 વાગે ભોજન કરો. તેમા સીઝનલ ફ્રુટ્સ, જવ, મલ્ટીગ્રેન લોટની રોટલી અને છાછ લઇ શકાય. રાતનું ભોજન ત્રણ કલાક પહેલા કરો જેથી લિવર દિવસ કરતા રાત્રે 25 ટકા જ કામ કરે છે. આઠ કલાકની ઉંધ જરુર લો. ચિંતા અને તણાવથી દુર રહો. કારેલાને છીણીને તેનું જ્યુસ અડધો કપ જ્યુસ ભોજનની 30 મિનિટ પહેલા પીવો