ભાવનગરઃ શહેરની માધ્યમ લીલીછમ હરિયાળી વચ્ચે તખ્તેશ્વર ટેકરી ઉપર 280 ફૂટની ઊંચાઈએ આવેલું તખ્તેશ્વર મહાદેવનું મંદિર 125 વર્ષ જૂનું છે. આ મંદિર ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ બંધાવ્યું હતું.
આ મંદિર ધાર્મિકતાની સાથોસાથ ઊંચાઈ ઉપર હોવાથી લોકોને સ્વચ્છ હવા આપે છે. સમગ્ર ભાવનગરની પરિક્રમા લોકો આ મંદિરે આવીને કરે છે ત્યારે શ્રાવણ માસમાં અહીં ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે.
ભાવનગર સ્ટેટ સમયના રાજવીઓ દીર્ઘ દર્ષ્ટિવાળા હતા. આવનારા 100 વર્ષને ધ્યાને લઈને નગરજનો માટે શિક્ષણ આરોગ્ય અને ધાર્મિકતાના ક્ષેત્રે અનેક સુવિધાઓ ઉભી કરી હતી.
ભાવનગરના આવા જ એક દીર્ઘ દ્રષ્ટિ વાળા મહારાજા થઇ ગયા. તે તખ્તસિંહજી મહારાજા તેમના સમયમાં આ આરસપહાણ અને 50થી વધુ થાંભલીવાળું મંદિર બાંધવામાં આવ્યું હતું. અહીં તે સમયના કારીગરી ઓ ટૂંકા સમયમાં પોતાની સુજબુજથી આ મંદિરનું નિર્માણ કર્યું હતું.
આ મંદીર આરસપહાણ ઉપરાંત નક્શી અને કોતરણીકામના કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં શ્રવણ માસમાં ભક્તોની ભીડ જામે છે. અહીં શિવરાત્રી જેવા પર્વો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
125 વર્ષ જૂનું આ મંદિર ઉગમણા મુખે આવેલું છે આ મંદિર શહેરમાં સૌથી ઊંચું હોવાથી અહીં સમગ્ર ભાવનગરના દર્શન થઈ શકે છે. અહીં લોકો બીલીપત્ર અને દૂધનો અભિષેક શિવજી ઉપર કરે છે.
આ મંદિરની બરાબર સામે એક મેદાન આવેલું છે જે જવાહર મેદાન તરીકે ઓળખવામાં આવે છે અહીં પહેલા આર્મી માટે બટાલિયના રહેતી હતી અને અહીં ફાયરીંગબટ શહેરના લોકો માટે તરીકે પણ આ જગ્યા ઓળખાતી હતી. ત્યારે આ મંદિરના દર્શન અહીં મેદાનમાંથી જવાનો કરતા હતા સમય જતા ઊંચા મકાનો અને ઊંચ વૃક્ષોના કારણે આ મંદિર અત્યારે લીલીછમ હરિયાળી વચ્ચે ઘેરાઈ ગયું છે.
આપને જણાવી દઇએ કે અહીં અનેક લોકો વર્ષોથી આવે છે અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર ચોમાસામાં આસપાસ લીલીછમ હરિયાળીના કારણે લોકો માટે પ્રયત્નનું સ્થળ પણ બને છે આ મંદિરમાં સોલાર લાઈટો મુકવામાં આવી છે.
ભાવનગર શહેરના લોકો માટે તખ્તેશ્વર મહાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને અહીં શ્રાવણ માસમાંએ લોકો હરહર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે.