હરિદ્વારના એસએસપી અજય કુમારના જણાવ્યા અનુસાર, જ્યારે કારને અકસ્માત થયો ત્યારે હરિયાણા રોડવેઝની બસ રિષભ પંતના કારની પાછળ આવી રહી હતી
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો અકસ્માત
આ કારણે થયું અકસ્માત
બસ ડ્રાઈવર સુશીલને કારણે બચ્યો રિષભ પંતનો જીવ
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ મર્સિડીઝ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે (30 ડિસેમ્બર) વહેલી સવારે રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં બની હતી. સવારે 5:15 વાગ્યે તેમની મર્સિડીઝ બેન્ઝ કાર નરસન બોર્ડર પર રોડની રેલિંગ સાથે અથડાઈ હતી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટક્કર એટલી મોટી હતી કે કાર હવામાં ઉછળીને થોડે દૂર જઈને પડી હતી અને આ અકસ્માત પછી તરત જ કારમાં આગ લાગી હતી, જોતાં જોતાં જ મર્સિડીઝ બેન્ઝ થોડી વારમાં સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.
This video is told to be of Rishabh Pant's recent accident in Uttarakhand. Vehicle can be seen on fire and Pant is lying on the ground. @TheLallantoppic.twitter.com/mK8QbD2EIq
આ કારણે થયું અકસ્માત
આ અકસ્માત બાદ રિષભ પંતનું મોટું નિવેદન આવ્યું હતું એમને જણાવ્યું હતું કે, આ અકસ્માત કેવી રીતે થયો અને તે કેવી રીતે બચી ગયો. જો પંત કારમાંથી બહાર નીકળી શક્યા ન હોત અને થોડો મોડો થયો હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. કારણ કે ઘટના બાદ કારમાં જોરદાર આગ લાગી હતી. રિષભ પંતે જણાવ્યું કે તે પોતે કાર ચલાવી રહ્યો હતો. ડ્રાઇવિંગ કરતી વખતે તેને નિંદરની એક ઝપકી આવી ગઈ હતી. આ જ કારણ હતું કે, કાર ડિવાઈડર સાથે અથડાઈ અને મોટો અકસ્માત થયો. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો અને એ પછી કારમાં ભીષણ આગ લાગી હતી. એ સમયે એમની પાસે જે પહેલો વ્યક્તિ જે પંહોચ્યો હતો એ હતો બસ ડ્રાઇવે સુશીલ.
સુશીલને કારણે બચ્યો રિષભ પંતનો જીવ
હરિદ્વારના એસએસપી અજય કુમારના જણાવ્યા અનુસાર, જ્યારે કારને અકસ્માત થયો ત્યારે હરિયાણા રોડવેઝની બસ રિષભ પંતના કારની પાછળ આવી રહી હતી અને કાર અકસ્માત જોઈને ડ્રાઈવર સુશીલ કુમારે બસ રોકી 112 નંબર પર ફોન કરીને જાણ કરી હતી. આ પછી રિષભ પંતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સુશીલ કુમાર પાસે આ વિશે વાત કરતાં એમને જણાવ્યું હતું કે 'હું હરિયાણા રોડવેઝમાં ડ્રાઈવર છું અને હરિદ્વારથી આવી રહ્યો હતો. મેં જોયું કે એક કાર દિલ્હી તરફથી આવતી હતી અને લગભગ 60-70ની સ્પીડ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને એ ટક્કર પછી કાર હરિદ્વાર લાઇન પર આવી ગઈ હતી. મેં ત્યારે મને થયું અમારી બસ પણ તેણી સાથે ટકરાશે અને અમે નહીં બચીએ. એટલા માટે મેં તરત જ કારને સર્વિસ લાઇનમાંથી પહેલી લાઇન તરફ ખેંચી લીધી. બસની 50-60ની સ્પીડમાં હતી. મેં તરત જ બ્રેક લગાવી અને બસમાંથી ઉતરીને ત્યાં ગયો.
પહેલા કાર પાસેથી દૂર કર્યોને પછી ચાદર આપી
સુશીલ કુમારે આગળ જણાવ્યું હતું કે 'મેં તે માણસ (ઋષભ પંત)ને જોયો. તે જમીન પર સૂતો હતો. મને લાગ્યું કે તે બચશે નહીં. કારમાં આગના તણખા નીકળતા હતા અને તેની બાજુમાં પંત પડ્યો હતો. પછી અમે તેને ઉપાડીને કારમાંથી દૂર લઈ ગયા. મેં તેને પૂછ્યું કે કારની અંદર બીજું કોઈ નથી ને? તો એમને મને કહ્યું કે હું એકલો હતો. પછી તેણે કહ્યું કે હું રિષભ પંત છું. હું ક્રિકેટ વિશે એટલું જાણતો નથી. અમે તેને ઊભો કર્યો અને તેને તેના શરીર પર કોઈ કપડા નહોતા પહેર્યા એટલે અમે તેને અમારી ચાદરમાં વીંટાળ્યો.