દેશમં બેંકોના 50 મોટા વિલફૂલ ડિફોલ્ટરોના 68,607 કરોડ રૂપિયાની લોન માફી નાંખી બટ્ટા ખાતા (Write off)માં નાંખી દીધા છે. જેને લઇને કેન્દ્રની મોદી સરકાર પર કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસના આરોપનો જવાબ આપ્યો છે. જાવડેકરે કહ્યું છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પી.ચિદમ્બરમ્ પાસેથી ટયૂશન લેવું જોઇએ.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું, હું રાહુલ ગાંધીના આ આરોપને ફગાવી રહ્યો છું કે મોદી સરકારે 65,000 કરોડ રૂપિયા માફ કરી દીધા છે. એક પણ રૂપિયો માફ કરવામાં આવ્યો નથી. બેંક લોનને બટ્ટા ખાતામાં નાંખવાનો મતલબ માફ કરવો એમ થતો નથી. રાહુલ ગાંધીએ ચિદમ્બરમ પાસેથી લોન માફી અને લોનને બટ્ટા ખાતમાં નાંખવાનું અંતર સમજવા માટે ટયૂશન લેવું જોઇએ.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે લોનને બટ્ટા ખાતામાં નાંખવું જમાકર્તાઓને બેંકની સાચી તસવીર બતાવાની પ્રક્રિયા છે. અહીં બેંકોને કાર્યવાહી અને વસૂલી કરવાથી રોકતો નથી. આપણે જોયું છે કે નીરવ મોદીની સંપત્તિ જપ્ત અને હરાજી કરવામાં આવી. વિજય માલ્યા પાસે કોઇ વિકલ્પ બચ્યો નથી. હાઇકોર્ટે તેની અરજી ફગાવી દીધી છે.
I was taken aback by Rahul Gandhi's comment that Modi govt has waived off Rs 65,000 Cr.Not a single penny has been waived off. Writing off isn't waiving off.Rahul Gandhi must take tuition from Chidambaram to understand difference b/w writing off&waiving off: Union Min P Javadekar pic.twitter.com/s8UOVFOV4T
આ અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ જાણી જોઇને બેંકોની લોન પરત નહીં કરનારા તેમજ ફસાયેલી લોન અને રાઇટ-ઓફ (બટ્ટા ખાતા) પર દેશની જનતાને ગુમરાહ કરવાના પ્રયત્નો કર્યો છે.