વિમાનમાં માસ્ક વગર મુસાફરી કરનાર લોકોની સામે આકરા પગલાં ભરવાનો કેન્દ્ર સરકારે એરલાઈન્સને ઓર્ડર કરી દીધો છે.
કોરોના કેસ વધતા સરકાર એક્શનમાં
તમામ એરલાઈન્સને આપ્યો આદેશ
વિમાનમાં માસ્ક વગર બેઠેલા લોકોની સામે ભરો આકરા પગલાં
વિમાનમાં માસ્ક વગર મુસાફરી કરનાર લોકો હવે દંડાશે
વિમાની સફર વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે છતાં પણ લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે અને કોરોના વધવા પાછળ આ પણ એક કારણ છે તેવું ધ્યાનમાં આવતા સરકારે લાલ આંખ કરી છે.
In view of the rise in COVID-19 cases, airlines have been advised to ensure that passengers are wearing face masks properly throughout the journey and ensure proper sensitization of the passengers through various platforms: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/SEhWHTllLZ
વિમાનમાં માસ્ક વગર જોવા મળ્યાં તો ભરાશે આકરા પગલાં
તમામ સરકારી અને પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓ જે મંત્રાલયના વિભાગ હેઠળ આવે છે તેવા DGCA વિભાગ દ્વારા તમામ એરલાઈન્સને એક મોટો ઓર્ડર અપાયો છે. DGCAએ ઓર્ડરમાં તમામ એરલાઈન્સને એવો આદેશ આપ્યો છે કે જે કોઈ મુસાફર ફ્લાઈટમાં માસ્ક વગર ઝડપાય તેની સામે આકરા પગલાં ભરો. કોરોના કેસ વધતા સરકારે આવો નિર્ણય લીધો છે.
In case a passenger does not comply with the directions, strict action will be taken by airlines against the passenger: DGCA
ફ્લાઈટમાં માસ્ક પહેરવું છે ફરજિયાત, લોકો નથી પહેરી રહ્યાં એટલે સરકારે આપ્યો આદેશ
DGCAએ તેના ઓર્ડરમાં એવું જણાવ્યું છે કે એરલાઈન્સે ખાતરી રાખવી પડશે કે તેના મુસાફરોએ ફ્લાઈટમાં માસ્ક પહેરી રાખ્યું હોય. જો કોઈ મુસાફર માસ્ક પહેરવાનું નિયમનું પાલન ન કરે તો તેની સામે આકરા પગલાં ભરો. મંત્રાલયે એવું પણ કહ્યું કે એરલાઈન્સ દ્વારા એરપોર્ટ, એરલાઈન્સ અને પ્રવાસીઓની અચાનક તપાસ કરવી પડશે અને તેમાં કોઈ મુસાફર માસ્ક વગર જણાય તો તેની સામે આકરા પગલાં ભરો.
આખી સફર દરમિયાન માસ્ક પહેરી રાખવું પડશે
એરલાઈન્સે એવી પણ ખાતરી રાખવી પડશે કે પ્રવાસીઓ તેમની આખી સફર દરમિયાન માસ્ક પહેરી રાખ્યું હોય અને સેનિટાઈઝેશના નિયમનું પણ પાલન કરવું પડશે.
Airlines asked to strictly enforce COVID-19 protocol, including mask mandate, inside aircraft amid rise in infections: DGCA
ફ્લાઈટમાં ફરજિયાત માસ્કનો નિયમ પણ પ્રવાસીઓ નથી પહેરતા
ફ્લાઈટમાં ફરજિયાત માસ્કનો નિયમ તો અમલમાં છે તેમ છતાં પણ પ્રવાસીઓનું તેનું પાલન નથી કરી રહ્યાં અને તેને કારણે કોરોના કેસ વધી રહ્યાં છે એટલે સરકારે હવે આવું પગલું ભર્યું છે.